fbpx
બોલિવૂડ

ડ્રગ્સ કેસમાં સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને મળ્યા જામીન

સુશાંત સિંહ રાજપૂત સાથે જાેડાયેલ ડ્રગ્સ કેસમાં અભિનેતાના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને વચગાળાના જામીન મળી ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, ૧૫ દિવસ માટે સિદ્ધાર્થને તેના લગ્ન માટે જામીન મળી ગયા છે. એક વાતચીત દરમિયાન સિદ્ધાર્થના વકીલ તારક સૈયદે કહ્યું હતું કે, “માનવતાવાદી ધોરણે તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. રાહત આપવામાં આવી છે. તેમણે ૨ જુલાઈએ ફરી હાજર થવુ પડશે. “

આ અગાઉ કોર્ટે સિદ્ધાર્થની જામીન અરજી નામંજૂર કરી હતી. સિદ્ધાર્થે ગયા અઠવાડિયે જામીન અરજી કરી હતી. તેણે કોર્ટ સમક્ષ જામીન માટેના અન્ય કારણો વચ્ચે ૨૬ જૂને તેના લગ્ન હોવાનું ટાંક્યું હતું. એડવોકેટ તારક સૈયદ દ્વારા દાખલ કરેલી તેની જામીન અરજીમાં પીઠાણીએ દાવો કર્યો હતો કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

અરજીમાં જણાવ્યું હતું, ગુનામાં સંડોવણી દર્શાવતા કોઇ પુરાવા મળ્યા છે કે ન તો નશો કે માલ મળ્યો હતો, પણ તેને દૂર દૂર સુધી ડ્રગ્સ સાથે કોઈ સંબંધ નથી. લાંબા સમયથી એનસીબીને ચકમો આપતા પીઠાણી સુધી તેના નવા સો.મીડિયા એકાઉન્ટ દ્વારા તપાસ એજન્સી પહોંચી શકી હતી. સુશાંતના મૃત્યુ પછી તરત જ સિદ્ધાર્થે તેનું જૂનું એકાઉન્ટ ડિલીટ કર્યું હતુ આ વર્ષે એપ્રિલમાં, તેણે પોતાનું નવું સો.મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તેના કેટલાક ફોટા શેર કર્યા. બાદ પોલીસે તેની શોધ શરૂ કરી હતી.

સિદ્ધાર્થ પીઠાણીએ સુશાંતના ખૂબ નજીકના મિત્રોમાંનો એક છે તે સુશાંતના ઘરે તેની સાથે રહેતો હતો. સુશાંતના અંતિમ દિવસોમાં સિદ્ધાર્થ તેની નજીક હતો, તેથી પોલીસ અને સીબીઆઈને સિદ્ધાર્થ પાસેથી ઘણું બધું મળી ગયું. આ કાર્યવાહીમાં સિદ્ધાર્થ સતત નિવેદનો બદલતા રહે છે. સવાલ એ પણ હતો કે તેણે અંતિમ સમયમાં કેમ પોતાનો પક્ષ બદલ્યો?

સિદ્ધાર્થ પીઠાણીની તાજેતરમાં સગાઈ થઇ હતી. પોતાના મંગેતર સાથે એક તસવીર શેર કરતા તેણે સો.મીડિયા પર લખ્યું ‘જસ્ટ એન્ગેજ્ડ’, ‘નવી જર્નીની શરૂઆત’.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/