આદિત્ય નારાયણએ હોસ્ટિંગ છોડવાનો લીધો મોટો ર્નિણય
ટીવી શો હોસ્ટમાં જેણે પોતાનું અલગ નામ બનાવી દીધું છે તે આદિત્ય નારાયણ આજકાલ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ ૧૨ ને હોસ્ટ કરતા જાેવા મળે છે. આદિત્ય અત્યાર સુધીમાં લગભગ ૧૨ રિયાલિટી શો હોસ્ટ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં આદિત્યએ એવી જાહેરાત કરી છે જે તેમના ફેન્સ માટે માઠા સમાચાર છે..
આદિત્યએ જાહેરાત કરી, હવે તે એન્કરિંગથી વિરામ લેશે. જી હા આદિત્ય હોસ્ટ તરીકે હવે બ્રેક લેવા માંગે છે. સિંગર આદિત્યને લાગે છે કે હવે મોટી જવાબદારીઓ તરફ તેનું ધ્યાન ફેરવવાનો સમય આવી ગયો છે, તેથી તે નાના પડદેથી બ્રેક લેવા જઈ રહ્યો છે.
આદિત્યએ કહ્યું, ૨૦૨૨ મારા હોસ્ટિંગનું છેલ્લું વર્ષ હશે. હું તે પછી હોસ્ટિંગ નહીં કરું. હવે મોટી વસ્તુઓ કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે હાલમાં હું જૂની કમિટમેંટથી બંધાયેલ છું, જે હું આવતા મહિના સુધીમાં પૂર્ણ કરીશ.
આદિત્યએ કહ્યું, તે આવતા વર્ષે ટીવીમાંથી બ્રેક લેશે. આદિત્યના કહેવા પ્રમાણે ટીવી ઇન્ડસ્ટ્રીએ તેને ઘણું બધુ આપ્યું છે, ટીવીએ તેમને નામ, ખ્યાતિ અને સફળતા આપી છે. ટીવીના આધારે, તે પોતાનું મકાન બનાવવા, અને કારની માલિકીની સાથે મુંબઇમાં સારું જીવન જીવવા માટે સક્ષમ બન્યો છે. આવી સ્થિતિમાં તેણે કહું કે, “એવું કંઈ નથી કે હું ટીવી સંપૂર્ણપણે છોડીશ. પણ હવે મારે બીજું કંઇક કરવું છે, જેમ કે કોઈ શોને જજ કરવો.”
સિંગરના કહેવા પ્રમાણે, હોસ્ટ તરીકેનો તેનો સમય પૂરો થઈ રહ્યો છે. હવે સીટ પર બેસવાનો સમય આવી ગયો છે. જાે કે આદિત્યએ એમ પણ કહ્યું હતું કે તે હોસ્ટિંગને ખૂબ જ પસંદ કરે છે, પરંતુ હવે તેણે કંઇક અલગ અને મોટું કરવું પડશે. તે ગાવા પણ માંગે છે
આદિત્ય આ દિવસોમાં ઈન્ડિયન આઇડલ હોસ્ટ કરી રહ્યા છે. આ શો આવતા મહિને પૂરો થશે. ઘણી વખત આદિત્ય ઈન્ડિયન આઇડલની તરફેણમાં આવ્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઇન્ડિયન આઈડલની આગામી સીઝનમાં આદિત્ય હોસ્ટ તરીકે જાેવા નહીં મળે. જાે કે, આદિત્યના ર્નિણયથી તેમના ચાહકોને આંચકો લાગશે કારણ કે તેના ચાહકોને આદિત્યની હોસ્ટિંગ પસંદ છે.
Recent Comments