દામનગર શહેર માં શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર -૨ ના ૬૩ વિદ્યાર્થી ઓને દીપ પ્રોજેકટ હેઠળ ટેબ્લેટ વિતરણ કરાયા હતા અભ્યાસ માં નવીનતમ ટેકનોલોજી ના ઉપીયોગ થી શાળા નંબર ૨ ના વિદ્યાર્થી ઓમાં ખુશી વ્યાપી ગઈ હતો ૬૩ જેટલા વિદ્યાર્થી ઓને ટેબ્લેટ મળતા ખુશખુશાલ જોવા મળ્યા હતા સંગ્રહ
રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આગામી ૧૬ ડિસેમ્બર સુધી સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઈ.એમ.આઈ ૫.૦ કામગીરી, રૂટીન ઇમ્યુનાઈઝેશન કામગીરી, ડિસેમ્બર,૨૩ મિઝલ્સ અને રૂબેલા એલીમિનેશન, વી.પી.ડી સર્વેલન્સ સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. એપ્રિલ ૨૩ થી આજ દિન સુધીમાં પૂર્ણ ઇમ્યુનાઈઝેશન કવરેજ અંતર્ગત જિલ્લામાં ઓવરઓલ ૯૫ ટકા કવરેજ પ્રાપ્ત થયું છે.
ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન નીચે અમરેલી – સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૫ વર્ષથી ૨૪*૭ કાર્યરત છે. દરમિયાન અમરેલી જિલ્લાના એક બહેનને તેના ભાઈ અને ભાઈના મિત્રથી ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને આહ્વાનથી સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયેલા અભિયાન ‘મારી માટી મારો દેશ’ના બીજા ચરણમાં અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાંથી એકઠી કરેલી માટી ભરેલા અમૃત કળશની યાત્રા અમરેલી નગરમાં સંપન્ન થઈ. વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયાના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ ગુરૂવારે સવારે તિરંગો
દામનગર શ્રી છભાડિયા પ્રા. શાળામાં દિપ શાળા પ્રોજેકટ અંતર્ગત ધોરણ ૭ ના બાળકોને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાન શ્રી દિલીપભાઈ,મુખ્ય શિક્ષક શ્રી ગૌરાંગભાઈ, સ્ટાફ પરિવાર અને AIF ના કો ઓડીનેટર કાશ્મીરબેન તથા ટ્યૂટર કાજલબેન અને ધોરણ ૭ ના બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા.
મારી માટી મારો દેશ માટીને નમન, વિરોને વંદન કરવાના દેશવ્યાપી અમૃત કળશ યાત્રાનો સાવરકુંડલા તાલુકા કક્ષા કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના અઘ્યક્ષ સ્થાને સાવરકુંડલા તાલુકા પંચાયતના પંટાગણમાં યોજવામાં આવ્યો હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા અધિકારીઓ અને પદાધિકારી સંગાથે તાલુકાના ગામડાઓમાંથી આવેલા સરપંચો, કર્મીઓને કળશ યાત્રા પ્રસંગે દેશની
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં નવરાત્રિ નિમિત્તે રાસ- ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીની બહેનોએ મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો શુભારંભ માતાજીની આરતીથી કરવામાં આવ્યો.તથા કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ. ચાવડા સાહેબે બહેનોને શુભેચ્છા પાઠવી કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યો. આ
સાવરકુંડલા શહેરને સ્વચ્છ અને ધૂળમુક્ત કરવાના ઇરાદા સાથે નવનિયુક્ત હોદ્દેદારો એવા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી,ન.પા ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી, ન.પા.ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડકશ્રી અજયભાઈ ખુમાણ,સેનિટેશન વિભાગ ચેરમેન પ્રતિનિધિ હેમાંગભાઈ ગઢિયા,ન.પા.સદસ્ય શ્રી કિશોરભાઈ બુહા,ન.પા.સદસ્યશ્રી લાલભાઈ ગોહિલ સહિતનાઓએ સાવરકુંડલાના મુખ્ય રસ્તાઓ પર સાથે રહી
સોમનાથ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જેમાં ગરીબ બાળકોને નાસ્તો , કપડાં, જીવન જરૂરી વસ્તુનું વિતરણ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વળી આ ગ્રુપ દરેક તહેવારની ઉજવણી ગામડાના છેવાડા જરૂરિયાતમંદ બાળકોની સાથે કરતાં જોવા મળે છે. હાલ પવિત્ર નવરાત્રી પર્વનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ માઁ […]
Recent Comments