રાજકોટ શહેરમાં રહેતી ૧૬ વર્ષની ક્રિષ્ના ફિલ્મમાં કામ કરવા માટે ઘરેથી કહ્યા વગર મુંબઈ પહોંચી હતી. બીજી તરફ મુંબઈ ફિલ્મ સિટી સ્ટુડિયોના મેનેજર અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીની મદદથી દીકરી ઘરે હેમ ખેમ પાછી પહોંચતા પરિવારમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે. વર્ષ ૨૦૦૩માં ભારતીય સિનેમા જગતમાં
ભાવનગર શહેરમાં હવે પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂા.૮૭ને આંબવા આવ્યો છે ત્યારે ઉલ્લેખનિય છે કે સમગ્ર ગુજરાતમાં ભાવેણાવાસીઓ પેટ્રોલ-ડિઝલના સૌથી વધુ દામ ચૂકવે છે. આજે જ ભાવ જાેઇએ તો આઇઓસી કે ભારત પેટ્રોલયીમના ભાવ ભાવનગરમાં એક લિટરના રૂા.૮૬.૭૦ છે તેની સામે વડોદરામાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂા.૮૪.૭૭ છે. એક તો ભાવનગરમાં અન્ય મહાનગરોની તુલનામાં રોજગારીની […]
વીરપુરમાં ભેટ, સોગાદનો સ્વીકાર કરાયો બંધ, સદાવ્રતને આજે ૨૧ વર્ષ પૂર્ણ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ કે સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને આજે એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા હતા. ઉલ્લેખનીય છે કે જલારામ ધામ તરીકે […]
ભાવનગર શહેરમાં મહાપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે હવે મેયર-ડેપ્યુટી મેયરના ચોકઠા ગોઠવવાના શરૂ થઇ ગયા છે અને રાજકીય સમીકરણો આગળ વધી રહ્યાં છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પદ રાજકીય કારકિર્દીમાં આગળ ધપવા માટે અપશુનિયાળ સાબિત થયું છે તેમ રાજકીય વિશ્લેષકો કહે છે. આનો સૌથી મોટો પુરાવો એ કે છે અત્યાર સુધીમાં ભાવનગર […]
ડુંગરપુરથી ઝડપાયેલા આરોપી સોનૈયા ગુલાબ પરમારે સિંહબાળની હત્યાના વટાણા વેરી નાખ્યા, આથી ખુદ વન વિભાગની સબસલામતની વાતો પોકળ હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સિંહણે શિકારી પર હુમલો કર્યા બાદ પોલીસની મદદથી સૌરાષ્ટ્રભરમાંથી કુલ ૩૮ શંકાસ્પદોને ઝડપી લીધા. એ પૈકી ૧૦ને સુત્રાપાડા કોર્ટે જેલહવાલે કર્યા છે. એ દરમિયાન જેમણે ફાંસલો બનાવી આપ્યો […]
ભાવનગરના બોરતળાવ ખાતે આજે ભાજપની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાયા હતા. જેમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રાંતના અધ્યક્ષ નવા વાયબ્રેશન સાથે નવા પ્રાંણ ફૂકવાનો પ્રયત્ન કરનાર ફળદુ સાહેબ હાજર હોય ત્યાં દિલ્હી અને ગાંધીનગરની બે ગાદીઓ છે. ત્યાં સુધી આપણો જયઘોષ પહોચે તેવી […]
હરિયાણાના હિસ્સાર ખાતેના બરવાલાના પૂર્વ ધારાસભ્ય રેલુરામ પુનિયા અને તેમના પત્ની સહિત પરિવારના ૮ સભ્યોની હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં દોષિત ઠરેલા ખૂંખાર ગુનેગાર સંજીવને અંબાલા એસટીએફની ટીમે ગત રવિવારે રાતે મેરઠ નેશનલ હાઈવે પરથી ઝડપી પાડયો હતો. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, વર્ષ ૨૦૧૮માં પેરોલ જંમ્પ કરી ફરાર થઈ ગયેલો હત્યારો સંજીવ પોલીસની […]
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે વોર્ડ નંબર ૧૩માં યૂથ કોંગ્રેસના પત્નીને ટિકિટ આપતાં અને વોર્ડ નંબર ચાર, તેરમાં ભરવાડ સમાજને ટિકિટ નહીં આપતાં સંગઠન સામે રોષ વ્યક્ત થયો છે. કોંગ્રેસ હજી સુધી બંધ બારણે રમી રહી છે જેથી બારોબાર ફોર્મ ભરતા સમયે મેન્ડેટ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.બીજી તરફ ટિકિટની વહેંચણી મામલે ભાજપમાં મોટાપાયે વિરોધ વંટોળ […]
ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું નિધન થયું છે. ત્યારે તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. જગમાલ બારોટે અનેક સંતવાણી અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. ભજનિક જગમાલ બારોટ ‘કટારી’ અને “હાટડીયે કેમ રહેવાશે ભાઈ” સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી. જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં હતા, ત્યારથી જ તેમને પારંપરિક ગીતો ગાવાનો શોખ […]
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ૨૪ કલાકમાં શહેરમાં બે દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૧૫૫૮૯ પર પહોંચી છે. હાલ અલગ અલગ હોસ્પિટલમાં ૧૦૮ દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગુરૂવારે ૨૮ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં કુલ કોરોનાના કેસ કરતા પણ વેક્સિન લીધી […]
Recent Comments