રાજ્યમાં ૬ મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર
અંતિમ એક કલાકમાં સંક્રમિત દર્દી કરી શકશે મતદાન
અગાઉથી સંક્રમિત દર્દીએ કરાવવી પડશે નોંધણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે, શું આ ચૂંટણીમાં કોરોનાનાં દર્દીઓ મતદાન કરી શકશે? જેના જવાબરૂપે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, રાજ્યમાં ૬ મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાનાં સંક્રમિત દર્દીઓ અંતિમ કલાકમાં મતદાન કરી શકશે.
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનો આંક દિવસો જતા ઘટી રહ્યો છે. પરંતુ હજુ તે આપણા જીવનમાંથી પૂરી રીતે ચાલ્યો ગયો નથી. આ જ કારણ છે કે ચૂંટણીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ મતદાન કરી શકશે કે નહી તે સવાલો જનમુખે છે. ત્યારે આ સવાલનાં જવાબરૂપે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, જે લોકો કોરોનાથી અગાઉથી જ સંક્રમિત હશે તેમણે નોંધણી કરાવવી પડશે, અને અંતિમ કલાકમાં તેઓ મતદાન કરી શકશે. મનપામાં મતદાન માટે હવે આખરે વ્યવસ્થા કરાઇ છે.
Recent Comments