ભરૂચ ભાજપ દ્વારા ૯ સભ્યોને પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ સસ્પેન્ડ કરાયા
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૯ સભ્યોને પક્ષ વિરોધી કાર્ય કરવા અંગે સસ્પેન્ડ કરાયા હતા. તમામ ૯ સભ્યોને તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્ય પરથી દૂર કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી સિસ્ત અને સભ્યતાને વરેલો પક્ષ છે જેમાં શિસ્ત ભંગ અને અસભ્યતા કોઈપણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે તેથી ૯સભ્યોને તાત્કાલિક અસર થી પક્ષના પ્રાથમિક સભ્ય પદ અને સક્રિય સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા એમ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ઍ જણાવ્યું હતું.
સસ્પેન્ડ કરાયેલ સભ્યોમાં મનહર પરમાર, હેમાબેન પટેલ,દિનેશ પટેલ, રમેશ આહીર, નીતિન વસાવા નિકુંજ ભટ્ટ, સતીષમિસ્ત્ર્રી, રઘુવીર સિંહ રણા અને કૌશિક પરમાર નૉ સમાવેશ થાય છે. જાેકે આ તમામ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે ઉમેદવારી કર્યાના ઘણા દિવસો બાદ તેમને સસ્પેન્ડ કરાયા છે.
કેરવાડાના ભાજપના આગેવાન દંપતી છ વર્ષ માટે સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમોદ તાલુકા ભાજપના આગેવાનોએ પક્ષ વિરુધ્ધ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા જિલ્લા ભાજપ પ્રમુખે તેની ગંભીર નોંધ લઈ આમોદ તાલુકાના કેરવાડા ગામના પતિ તેમજ પત્નીને છ વર્ષ પક્ષમાંથી માટે સસ્પેન્ડ કર્યા હતા. આમોદ તાલુકાના કેરવાડા ગામના આગેવાન સંજયસિંહ રાજ ભાજપના પ્રાથમિક સભ્ય તથા સક્રિય કાર્યકર હતા.જેઓએ આમોદ તાલુકા પંચાયતની કેરવાડા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરી પક્ષ વિરૂદ્ધ કામગીરી કરવા બદલ તેમને છ વર્ષ માટે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ સસ્પેન્ડ કર્યા હતા. તેમજ તેમના પત્ની વિલાસબેન રાજ પણ તાલુકા ભાજપના મંત્રી હતા. તેમને પણ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Recent Comments