fbpx
ગુજરાત

મુખ્યમંત્રીની ખાતરી છતાં સુરતમાંથી હજારો શ્રમિકોની વતન હિજતર

સુરતમાં કોરોનાના કેસમાં જાેરદાર ઉછાળો થતા પ્રવાસી શ્રમિકોમાં ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. સુરતમાં ઉત્તર પ્રદેશ-બિહારથી કામ કરવા માટે આવતા મજૂરો સરકારની લોકડાઉનની ખાતરી છતા હિજરત કરી રહ્યા છે. સુરતમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના વતન પરત ફરતા ઠેર ઠેર ટ્રાવેલ્સ એજન્સીની હાટડીઓ ખુલી ગઇ છે અને મનફાવે તેમ શ્રમિકો પાસેથી પૈસા પડાવી રહી છે.

સુરતમાં પ્રવાસી મજૂરોના વિસ્તારમાં ઠેર ઠેર ટિકિટ બુકિંગની ઓફિસો ખુલી ગઇ છે. ફેરિયાઓ, ઝૂંપડીમાં રહેતા લોકો રાતોરાત બુકિંગ એજન્ટ બની ગયા છે. ભયભીત બનેલા પ્રવાસી મજૂરો ઘર વખરી સાથે બસમાં જગ્યા ના મળે તો બસની છત પર બેસીને પણ વતન રવાના થઇ રહ્યા છે.

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા ફરી લોકડાઉન લાગશે તેવી અફવાને પગલે મોટી સંખ્યામાં શ્રમિકો હિજરત કરી રહ્યા છે. રોજની સરેરાશ ૧૫થી વધુ બસ ભરીને શ્રમિકો ઉત્તર પ્રદેશ-બિહાર તરફ રવાના થઇ રહ્યા છે. સોમવારે આશરે ૧૫૦૦થી વધુ શ્રમિક મજૂરોને લઇને સુરતથી ૧૪ બસ ઉત્તર પ્રદેશ-બિહાર રવાના થઇ હતી.મોટી સંખ્યામાં પોતાના વતન તરફ હિજરત કરતા શ્રમિકો પાસેથી ખાનગી બસ સંચાલકો મનફાવે તેમ રૂપિયા ભાડા પેટે ઉઘરાવી રહ્યા છે. શ્રમિકો પાસેથી ૮૦૦ના બદલે ૧૫૦૦ રૂપિયા જેટલુ જંગી ભાડુ વસુલ કરવામાં આવી રહ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/