રૂપાણી જાહેરાત કરીને ગયાં છતાં ૧૦ હજારની સામે ૬૭૦૦ રેમેડેસિવિર જ ફાળવાયા
શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે સતત કેસ વધી રહ્યા છે અને દર્દીઓ તથા ક્રિટિકલ કન્ડિશન જાેતા રેમેડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ઉલ્લેખનીય ઉછાળો જાેવા મળી રહ્યો છે. દર્દીના સંબંધીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતા પણ ઇન્જેક્શન અપ્રાપ્ય બન્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમેડેસિવિરની વ્યવસ્થા કરી હોવાની બાંહેધરી આપી હતી. જાે કે સ્થિતીમાં હજી પણ કોઇ સુધારો થયો નથી. આજે પણ લોકો લાઇનમાં કલાકો સુધી ઉભા રહે છે, તેમ છતા પણ હજી સુધી ઇન્જેક્શન મળતા નથી.
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં રેમેડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો અપાયો છે જે અંતર્ગત સુરત શહેરમાં અમદાવાદ કરતા વધારે મોત હોવા છતા ઇન્જેક્શનનો જથ્થો ત્રણ ગણો ઓછો અપાયો છે. અમદાવાદમાં ૧૮ હજાર ઇન્જેક્શન ફાળવાયા છે. જ્યારે સુરતને માત્ર ૬૭૦૬ ઇન્જેક્શન અપાયા છે. પાલિકા કમિશ્નરે સરકાર સમક્ષ ૧૦ હજાર ઇન્જેક્શનની માંગ કરી હતી. આ ઉપરાંત વડોદરાને ૪૧૫૧, જ્યારે રાજકોટનાં ૩૮૭૮ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. સુરતમાં કલેક્ટર દ્વારા ૨૫ જેટલી હોસ્પિટલોનો આ ઇન્જેક્શનનો જથ્થો અપાયો હતો.
સુરત સિવિલ કેમ્પસમાં રેમેડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી કતારો જાેવા શહેરની સ્થિતી ખુબ જ ભયાનક છે. હાલમાં ઝ્રસ્ રૂપાી સુરતમાં સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તમામ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન મળી રહેશે તેવી બાંહેધરી આપી હતી. જાે કે સુરતમાં સ્થિતી તેનાથી વિપરિત જાેવા મળી રહી છે. ઝ્રસ્ ઠાલા વચનો આપી ગયા છે. હજી સુધી પુરા થઇ શક્યા નથી. યોગ્ય સમયે ઇન્જેક્શનો પુરાવો નથી મળતો. જે પ્રકારની માંગ છે તેટલા ઇન્જેક્શન હજી સુધી મળી શક્યા નથી.
કોરોના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંબંધીઓએ ધસારો ખુબ જ મોટા પ્રમાણમાં જાેવા મળી રહ્યો છે. રેમેડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે આશરે ૩થી૪ કલાક સુધી કતારગામમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. શહેરમાં પરિસ્થિતી વધારેને વધારે વણસી રહી છે. આ ઉપરાંત વેન્ટિલેટરની પણ ઉણપ જાેવા મળી રહી છે. તે અંગે પણ સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે.
Recent Comments