fbpx
ગુજરાત

લોકડાઉનની દહેશત વચ્ચે ગુજરાતથી ૩ રાજ્યોમાં જતી એસટી બસો બંધ કરાઇ

કોરોનાની ચેઈન તોડવી બહુ જ જરૂરી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો ડબલ મ્યુટન્ટ વાયરસ (ર્ઙ્ઘેહ્વઙ્મી દ્બેંટ્ઠહં ર્ષ્ઠદૃૈઙ્ઘ) લઈને આવી રહ્યાં છે. આ જાેતા ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જેને જાેતા ગુજરાત સરકાર દ્વારા અનેક ર્નિણયો લેવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાતથી ૩ રાજ્યોને જાેડતી એસટી બસની સુવિધા પર મોટી અસર પડી છે.

કોરોનાની અસરને પગલે સૌથી મોટી અસર ખ્તજિંષ્ઠ સેવા પર થઈ છે. ત્યાર તકેદારીના ભાગરૂપે એસટી નિગમ દ્વારા મહત્વનો ર્નિણય કરાયો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતા મહારાષ્ટ્ર (દ્બટ્ઠરટ્ઠટ્ઠિજંટ્ઠિ), મધ્યપ્રદેશ (દ્બટ્ઠઙ્ઘરઅટ્ઠ ॅટ્ઠિઙ્ઘીજર) તરફની બસ સેવા બંધ કરાઇ છે. રાજસ્થાન તરફના પ્રવાસીઓ ઘટતા ૫૦ ટકા બસ સેવા હંગામી ધોરણે બંધ કરાઈ છે. આ કારણે એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે પરિસ્થિતિ મુજબ નવો ર્નિણય કરવામાં આવશે તેવુ કહેવાયું છે.
તો બીજી તરફ, રાજકોટ એસટી વિભાગમાં ૫૦ થી વધુ મુસાફરો સંક્રમિત થયા છે. જેથી રાજ્યમાં ૯૦ થી વધુ એસ.ટી બસ સ્ટેન્ડના શેડ્યુલ રદ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટથી આંતરરાજ્ય બસ સેવા પણ બંધ કરવામાં આવી છે. રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.

આ રીતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન જતી બસોને અસર થઈ છે. તમામની ૫૦ ટકા ટ્રીપ રદ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/