વાહ રે તંત્ર! રાજ્ય કક્ષાના પ્રધાનની મુલાકાત બાદ તરત જ કોવિડ સેન્ટરને તાળા
એક તરફ રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણને અટકાવવા અવિરત પ્રયાસો કરી રહી છે. પરંતુ બીજી તરફ જિલ્લાનો આરોગ્ય વિભાગ જ સરકારના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યો છે. વાત છે મોરવા હડફની. કે જ્યાં સંતરોડ ગામે રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારની કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધા બાદ તુરંત સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું.
એટલું જ નહીં જયદ્રથસિંહ પરમારની મુલાકાત વખતે સેન્ટરમાં હાજર દર્દી પણ પ્રધાનની મુલાકાત બાદ કોવિડ સેન્ટરમાંથી ગાયબ થઇ ગયા. પ્રધાનની મુલાકાત વખતે કોરોનાના શંકાસ્પદ દર્દીઓને લાવવામાં આવ્યા.
સંતરોડ ગામના સેન્ટરની પ્રધાન જયદ્રથસિંહે લીધેલી મુલાકાત અને ત્યાર બાદની સ્થિતિ એમ બંને ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અન્ય વીડિયોમાં પ્રધાનની મુલાકાત બાદ કોવિડ કેર સેન્ટર તાળું મારેલી સ્થિતિમાં જાેવા મળ્યું. બીજી તરફ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા આરોગ્યકર્મીએ પણ દર્દીને હમણા જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું જણાવી બચાવ કર્યો. ત્યારે સવાલ એ છે કે પ્રધાનની મુલાકાત દરમ્યાન ફક્ત ફોટોસેશન માટે જ મહિલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા. શું આવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને અટકાવી શકાશે.
Recent Comments