વડોદરા કપુરાઈ ચોકડી પાસે સર્જાયો અકસ્માત, સુરતનાં ૩ કોરોના વોરિયર્સનું મોત
વડોદરાના કપૂરાઇ ચોકડી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. કાર ચાલકને ઝોકું આવી જતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં પહોચી ગઈ હતી. ત્રણેય યુવકો સુરતથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ત્રણેય યુવકોના મૃતદેહ કારમાં ફસાઈ ગયા હતા, ફાયર બિગ્રેડની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.
હાલ સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વરસ્યો હોવાથી સુરતથી અનેક સેવાભાવી યુવકો પોતાના વનતમાં સેવા આપવા પહોંચ્યા છે. આવા જ સુરતના ત્રણ યુવકો અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.૩૬), સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. ૨૭) અને રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. ૪૨) સૌરાષ્ટ્રમાં સેવા કરવા ગયા હતા. તેઓ સૌરાષ્ટ્રથી સુરત પરત કારમા ફરી રહ્યાહતા. ત્યારે વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેણે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો.
અકસ્માત એટલો વિચિત્ર હતો કે, યુવકોની કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી ગઈ હતી. કાર રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર પહોંચી ગઈ હતી. તેમજ સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ટક્કરમા ત્રણેય યુવાનોનો જીવ ગયો હતો. અશોક ગોદાણી, સંજય ગોદાણી અને રાજુ ગોંડલિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્રણેય યુવાનોના મૃતદેહો પણ કારમાં ફસાઈ ગયા હતા. જેમને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
Recent Comments