મેટ્રો રેલ પ્રોજેક્ટના લીધે અમદાવાદમાં મોટેરા રોડનો કેટલોક ભાગ ૧ વર્ષ સુધી બંધ
અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુ પણ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેમાં હવે આ કામગીરીના લીધે મોટેરા રોડનો કેટલોક ભાગ આજથી એક વર્ષ સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ માટે એક નવું ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યું છે.
રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રસિદ્ધ કર્યું છે. જેમાં મોટેરા સ્ટેડિયમ રોડ પર સહજાનંદ ત્રણ રસ્તા ઉર્જા મોટેરા કોમ્પ્લેક્સની સામે મેટ્રો પિલ્લર નંબર ઁ-૫૩૭થી ખોડિયાર ચાર રસ્તા સૃષ્ટી આર્કેડના ખુણા સુધીના રોડની બન્ને બાજુ ૭-૭ મીટર રસ્તો છોડી બાકીનો મધ્ય ભાગનો રસ્તો બેરિકેટિંગથી ૨૧ મે ૨૦૨૧ (આજથી) ૨૧ મે ૨૦૨૨ સુધી બંધ રહેશે.
આ રસ્તો બંધ રહેશે તે દરમિયાન ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં સેતુ સ્કાર્લેટથી ડાબી બાજુ વળાંક લઈને ખોડિયાર ચાર રસ્તા સૃષ્ટી આર્કેટના ખુણા સુધી ૧૦ મીટર જેટલું બેરિકેટ કરીને બાકીનો રસ્તો વાહન-વ્યવહાર માટે ખુલ્લો રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારા વાહનચાલકો મોટેરા સ્ટેડિયમથી સૃષ્ટી આર્કેટ તરફ આવન-જાવન કરવા માટે ૭-૭ મીટર જેટલા ખુલ્લા રાખવામાં આવેલા રસ્તાઓનો ઉપયોગ કરી શકાશે.
Recent Comments