સુરતમાં વધુ નવ દર્દી નોંધાયા, ૩ ડોક્ટર્સની દેખરેખ હેઠળ નવુ બોર્ડ બનાવ્યું
સુરતમાં પણ કોરોના બાદ મ્યુકરમાયકોસીસના કેસ સામે આવી રહ્યા છે. સુરતની નવી સિવિલ-સ્મિમેરમાં મ્યુકોરમાઇકોસીસના નવા નવ કેસ સામે આવ્યા છે. અહી આઠ દર્દીના ઓપરેશન થયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે આંખ,ઇએનટી અને મેડિસિન વિભાગની ત્રણ ડોકટરોની આગેવાનીમાં “મ્યુકોર બોર્ડ “બનાવવામાં આવ્યું છે.
નવી સિવિલમાં ૪ અને સ્મીમેરમાં ૫ કેસ આવ્યા છે. હાલ સિવિલમાં મ્યુકરમાયકોસીસના કુલ ૧૦૧ અને સ્મિમેરમાં ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે. હમણાં સુધી બંને હોસ્પિટલોમાં ૬૪ દર્દીઓના ઓપરેશન થયા હતાં.
કોરોનાની ત્રીજી લહેરની આશંકાના પગલે સુરતનુ તંત્ર અત્યારથી જ એલર્ટ મોડમાં કામ કરી રહ્યુ છે. નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં બાળકો માટે ૧૦૦ બેડનીઅલાયદી વ્યવસ્થા કરવા તંત્રે કવાયત આદરી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની આશંકાના પગલે તંત્ર કામે લાગ્યું છે. પીડિયાટ્રિક વિભાગના વડાને ‘ગેપ એનાલિસિસ “કરવા આદેશ અપાયા છે. બાળકોની સારવાર માટે સાધન-સામગ્રી, ક્યાં પ્રકારના સાધનોની જરૂરિયાત છે. વ્યવસ્થામાં હાલ કઈ કઈ ત્રુટીઓ રહેલી છે.દવાનો જથ્થો અને વેન્ટિલેટર સહિતની બાબતે વિશ્લેષણની પ્રક્રિયા હાથ ધરાઇ છે. માતા પિતાને પણ બાળકો તરફ વધુ ધ્યાન આપવા ડોકટરોએ અપીલ કરી છે. બાળકોને કોરોના સામે બચાવવા બને ત્યાં સુધી બાળકોને બહાર નીકળવાનું ટાળવા કહેવાયુ છે.
Recent Comments