વડોદરા એમએસ યુનિના વિદ્યાર્થીઓએ શાકભાજી વેચી માસ પ્રમોશનનો વિરોધ કર્યો
કોરોનાકાળ માં છેલ્લા બે વર્ષથી કોલેજના વિદ્યાર્થીઓ એક પણ દિવસ કોલેજ કે કલાસરૂમ જાેયો નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વિચારણા ચાલી રહી છે. સરકાર ની આ વિચારણા સામે વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
શહેરના કાલાઘોડા સર્કલ ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સામે વાંધો ઉઠાવતા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ કાલાઘોડાથી ફતેહગંજ તરફ જવાના મુખ્ય માર્ગની ફુટપાથ પર શાકભાજીની દુકાન લગાવી બેનર પોસ્ટર સાથે બેસી ગયા હતા ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓનું ધ્યાન આ શાકભાજી વેચતા વિદ્યાર્થીઓ પર પડતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
ફુટપાથ પર બેસી શાકભાજી વેંચતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જાે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તો તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમાશે. માર્કશીટ પર માસ પ્રમોશનનો સિક્કો વાગતાની સાથે જ માર્કશીટની કોઈ કિંમત નહીં રહે અને એ ફક્ત એક કાગળ બનીને રહી જશે.
ભવિષ્યમાં જાે કોઈ વિદ્યાર્થી સારી નોકરી મેળવવા જશે તો માસ પ્રમોશનના કારણે નોકરી મેળવવામાં પણ ભારે મુશ્કેલી સર્જાશે. જાે કોરોના કાળમાં ચૂંટણી યોજાઈ શકતી હોય તો પરીક્ષા કેમ નહીં તેવો સણસણતો સવાલ વિદ્યાર્થીઓએ સરકારને પૂછ્યો હતો.
ભવિષ્યમાં માસ પ્રમોશનના કારણે નોકરી મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. ત્યારે વિદ્યાર્થીઓ બેરોજગાર બનશે. જેના કારણે જ આ વિદ્યાર્થીઓએ અત્યારથી ભવિષ્યનો વિચાર કરી ફુટપાથ પર બેસી શાકભાજીનો વ્યવસાઈ શરૂ કરવા મજબૂર બન્યા છે અને આના માટે તેઓ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. માસ પ્રમોશનનો વિરોધ કરી રહેલા આ વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા ઓનલાઈ પરીક્ષા લેવાય તેવી માંગ ઉઠી છે.
Recent Comments