સાળાએ બનેવીને ચિક્કાર દારુ પીવડાવી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઊતારી દીધો
સિંગણપોર વિસ્તારમાં ખૂદ સગા સાળાએ જ બનેવીને દારૂ પીવડાવ્યા પછી છરીના ઘા મારીને પતાવી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાળાએ બનેવીને ૧૫ જેટલા છરીના ઘા માર્યા હતા. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક કોઈ કામ કરતો નહોતો અને પત્ની સાથે વારંવાર ઝઘડો કરીને તેને ઘરમાંથી કાઢી મૂકતા હતો. જેનો ખાર રાખીને સાળાએ બનેવીની હત્યા કરી નાંખી છે.
સુરતના સિંગણપોરમા ૨૫ વર્ષના યુવકની ર્નિમમ હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પેટમાં છરીના ઘા ઝીંકી દેવાતા મૃતકના આંતરડા બહાર આવી ગયાં હતાં. ચાર શખ્સો યુવકને મોતને ઘાટ ઉતારી નાસી ગયા હોવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિંગણપોર પોલીસને મૃતદેહ પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે.
સિંગણપોરમાં કાંગારું મંદિર પાસે ૨૫ વર્ષના કમલેશ નામના યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાયેલ લોહીલુહાણ હાલમાં લાશ મળી આવી હતી. સિંગણપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં લાશ નજીકથી વિદેશી બનાવટના દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી. દારૂની મહેફિલ બાદ હત્યા કરાઈ હોવાની દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments