આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાત આવશે
ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આ વખતની ચૂંટણીમાં ત્રીજાે પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આપ ગુજરાતથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતી કાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા જઇ રહી છે. ૧૪ મેએ કેજરીવાલ અમદાવાદના નવરંગપુરામાં કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે. સવારે ૧૦.૨૦ વાગ્યે કેજરીવાલ અમદાવાદ પહોચશે, તે બાદ બપોરે વલ્લભભવન ખાતે પત્રકાર પરિષદ કરશે.
કેજરીવાલની હાજરીમાં ઇશુદાન ગઢવી સહિતના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જાેડાઇ શકે છે. તે બાદ કેજરીવાલ સાંજે દિલ્હી પરત ફરશે.
આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી ૨૭ બેઠક જીતીને બીજા નંબર પર રહી હતી. સુરતમાં છછઁ વિપક્ષમાં છે.
Recent Comments