fbpx
ગુજરાત

સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓએ કોરોનાકાળમાં ૩.૭૮ કરોડની આવક કરી

ગુજરાતની સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા આશરે ૩.૭૮ કરોડની માતબર આવક કરવામા આવી છે. સાથે સાથે નવા કેદીઓ અને નવા વ્યવસાયોની શરૂઆત કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. કોરોનાના કપરાં સમય દરમિયાન સમગ્ર દેશમાં વ્યાપાર ધંધા પર માઠી અસર પહોંચી હતી. મોટા ભાગના વ્યવસાયો બંધ હાલતમાં જાેવા મળ્યા, જેના કારણે દેશના જીડીપી પણ તળીયે પહોંચી ગયો. પરંતુ આવા સમયમાં પણ ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ આર્ત્મનિભર બન્યા અને એક વર્ષમા ૩.૭૮ કરોડની આવક ઉભી કરી દીધી છે.
કોરોના સમય દરમિયાન સરકાર હંમેશા લોકોને આર્ત્મનિભર રહેવા માટે સલાહ આપતી હતી. પરંતુ જેલની દિવાલોમાં કેદ રહેલા કેદીઓ દ્વારા આર્ત્મનિભરતાનો પાઠ દેશના વેપારીઓને બતાવ્યો છે. કારણ કે જ્યાં નવા સ્થપાયેલા ઉદ્યોગો પણ બંધ થવાને આરે હતા.. ત્યાં કેદીઓ દ્વારા નવા ૩ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા અને ધીમે ધીમે આર્ત્મનિભર કેદીઓની સંખ્યા પણ વધવા લાગી હતી.

સાબરમતી સેન્ટ્રલ જેલ કે જ્યાં ૨૫૦ કેદીઓ સાથે ઉદ્યોગ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. જે હવે ૫૫૦ કેદીઓને રોજી આપતો થયો છે. એટલે કે જેલમાં રહેતા ૫૫૦ કેદીઓ આર્ત્મનિભર બન્યા છે. અને તેઓ પરિવાર દ્વારા મોકલાતી રકમ પર નહી, પરંતુ પોતાની મહેનતથી પોતાની આવક ઉભી કરતા થયા છે. તો બીજી તરફ જેલ સત્તાધીશો દ્વારા પણ નવા નવા વિકલ્પો શોધી જેલના કેદીઓને રોજગારી મળે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/