fbpx
ગુજરાત

રાજ્યમાં આવતીકાલથી રાષ્ટ્રીય અન્ન કાયદા હેઠળ મફત અનાજનું વિતરણ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાકાળમાં ગરીબ લોકોને રાહત થાય તે હેતુથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો ર્નિણય લીધો છે.તે અંતર્ગત આવતીકાલથી ૭૧ લાખ પરિવારને મફત અનાજ આપવામાં આવશે. આ અનાજ નવેમ્બર સુધી મફત આપવામાં આવશે.

સરકારે કોરોનાની મહામારીના લીધે ગત વર્ષ ની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો ર્નિણય કર્યો છે. ત્યારે સમગ્ર મામલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સાંભળતા કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યના ૭૧ લાખ પરિવારને મફ્તમાં અનાજ વિતરણ કરવામાં આવશે. નવેમ્બર સુધી અનાજ આપવામાં આવશે તેવો ર્નિણય કરવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજનું વિતરણ કરાશે.

રાજ્ય સરકાર તરફથી જે અનાજની વિતરણ કરવામાં આવે છે તે ચાલુ રહેશે. આવતીકાલથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૭૧ લાખ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી પણ અનાજ વિતરણ કરવામાં આવશે. તમામ કાર્ડધારકોના નંબર અને વસ્તી સાથે આધારકાર્ડ લિંક કરવામાં આવ્યા છે. જે કાર્ડધારકો પાસે આધારકાર્ડ નથી તેમના પણ આધારકાર્ડ લિંકઅપ કરવાની પ્રક્રિયા હાથધરવામાં આવી રહી છે. જેથી વધુથી વધુ લોકોને અનાજ મળી શકે અને લોકો કોરોના જેવા કાળમાં પણ મફતમાં અનાજ મેળવી શકે.
ઉલ્લખનીય છે કે કોરોનાની મહામારીમાં ઘણાબધા લોકો બેરોજગાર થઇ ગયા છે અને ગરીબ લોકોને ખાવાની મુશ્કેલીના સર્જાય તે હેતુથી ગરીબ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ વિતરણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/