મહેસાણામાં આવેલ સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર આજથી ખૂલ્લુ મૂકાશે
સમગ્ર દેશમાં કોરોના મહામારી ના કારણે રોગ વધુ ના ફેલાય તેના ભાગરૂપે સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં જાહેર સ્થળો ઉપર પ્રવાસીઓની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ આવેલા સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પણ એક માસ સુધી બંધ કરવાની ફરજ પડી હતી.
એક માસ બાદ સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના મહામારીના કારણે મોઢેરાનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે આવતીકાલથી ફરી ખુલવા જઇ રહ્યું છે.
આવતીકાલે સૂર્યમંદિરમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં વીસેસ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જેમાં મંદિર પરિસર માં સેનેટાઇઝર નો છટકવા પણ કરવામાં આવ્યો હતો. જેથી આવતીકાલે જે પણ પ્રવાસી મંદિરમાં આવે તેને પ્રથમ મંદિરના મુખ્ય ગેટ પાસે થર્મલ ગન અને સેનેટાઇઝરથી ચેક કરી પ્રવેશ આપવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે મંદિરમાં પ્રવેશ માટે ઓનલાઇન અને ઓફલાઈન ટીકીટની સુવિધા કરવામાં આવી છે. જેમાં પર્યટકો મંદિર માં પ્રવેશ કરવા માટે ઓનલાઇન અથવા ઓફલાઈન સુવિધા મારફતે ટીકીટ મેળવી શકશે.
Recent Comments