fbpx
ગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લેસર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. જાે કે, પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાત્રિના આઠ વાગ્યાથી લેસર શો શરૂ કરવામાં આવનાર છે. સાંજના સમયે લેસર શો અત્રે આવનાર પ્રવાસીઓ માટે આકર્ષણ પૈકીનું એક છે. સામાન્ય રીતે સાત વાગ્યે પ્રવાસીઓ માટે આ શો શરૂ કરવામાં આવે છે. પરંતુ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લેતા અગાઉ આ સમય ૭.૩૦ વાગ્યાનો નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

હજી મોસમમાં દિવસ લાંબો થતો જાય છે, જેના કારણે તાત્કાલિક અસરથી ર્જીંેંછડ્ઢ્‌ય્છ દ્વારા લેસર શોનો સમય ૮ વાગ્યાથી રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવે છે. લેસર શોના સમયમાં એટલા માટે પણ ફેરફાર કરાયો છે કારણે કે, સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જાેઈ શકાય અને અહીં આવનાર પ્રવાસીઓને લાભ મળે.

કોરોનાની બીજી લહેરનું જાેર ઘટતા કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓમાં માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રવિવારના દિવસે પાંચ હજારથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું હતું. પરંતુ હજુય પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. કારણ કે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં માર્ચ મહિના પછીના સમયગાળામાં કોરોનાના કેસો ખુબ જ વધતા એપ્રિલ માસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા તમામ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/