કવિ વિનોદ જોશીને ગુજરાત સાહિત્ય અકાદમીનાં બે પારિતોષિક
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૮નાં આજે સત્તાવાર જાહેર થયેલાં વિવિધ વિભાગના સાહિત્યનાં પારિતોષિકોમાં વિનોદ જોશીનાં પ્રબંધકાવ્ય સૈરન્ધ્રી'ને શ્રેષ્ઠ કવિતાનાં પ્રથમ અને
નિર્વિવાદ’ને શ્રેષ્ઠ વિવેચનગ્રંથનાં પ્રથમ એમ બે પારિતોષિકોથી નવાજવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં વિનોદ જોશીને ગુજરાતી કવિતાનો સર્વોચ્ય ગણાતો નરસિંહ મહેતા પુરસ્કાર અર્પણ થયો ત્યારે મોરારિબાપુના હસ્તે પ્રબંધકાવ્ય `સૈરન્ધ્રી’નું લોકાર્પણ થયું હતું. આ પૂર્વે ૨૦૧૫માં ગુજરાત સાહિત્ય અકાદમીએ વિનોદ જોશીને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરેલા છે.
Recent Comments