fbpx
ગુજરાત

પતિને સ્પામાં પ્રેમ થઇ જતાં પરિણિતાને ત્રાસ આપવાનું શરુ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

અમદાવાદના રીક્ષા ચાલક સસરા દ્વારા ઓઢવમાં ખોલવામાં આવેલા રોયલ સ્પામાં નોકરી કરતી યુવતીના પ્રેમમાં અંધ બનેલો પતિ ગાંધીનગર આવી પત્નીને છૂટાછેડાનાં કાગળો પર સહી કરવાનું કહી લાફા ઝીંકી દઈ તેણીને તેમજ પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ નાસી જતાં પોલીસે પતિ તેમજ તેની પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં રહેતી ૩૧ વર્ષીય વિષ્ણુબાનાં લગ્ન વર્ષ ૨૦૧૦ માં અમદાવાદ નાં ઇસનપુર પ્રેરણા એપાર્ટમેન્ટ વિભાગ ૩ મકાન નંબર ૧૦/૨ માં રહેતા ભરતસિંહ અજીતસિંહ ઝાલાનાં પુત્ર વિશાલસિંહ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન પછી વિષ્ણુબા કરિયાવર લઈને સાસરીમાં રહેવા ગઈ હતી. આ લગ્ન જીવનથી વિષ્ણુબાએ પુત્રને જન્મ આપ્યો હતો. શરૂઆતના એક વર્ષ સુધી તેનું લગ્ન જીવન સારું ચાલ્યું હતું.

બાદમાં તેણીના સાસુ લીલાબા ઘરના કામકાજ બાબતે વાંધા વચકા કાઢી મહેણાં ટોણાં મારી ત્રાસ આપતા રહેતા હતા. વિષ્ણુબાએ સીજેરીયન મારફતે પુત્રનો જન્મ આપ્યો હોવાથી ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી. જેથી તેણીએ પિયર જવાની વાત કરતા સાસુએ પિયર જવાની ના પાડી દઈ સસરા તેમજ પતિએ બિભત્સ ગાળો બોલી ત્રાસ આપ્યો હતો. તે ઘટનાના થોડા સમય પછી ફરી વિષ્ણુબા એ પિયર જવાની ઈચ્છા વ્યક્ત કરતા સાસરિયાઓએ જીયાણાનાં દાગીના તેમજ રોકડ લઈ આવવાની શરત મૂકી તેને પિયર જવા દીધી હતી.
બીજી તરફ વિષ્ણુનાનાં પતિ વિશાલસિંહે કોલ સેન્ટર ની નોકરી છોડી ગેસ્ટ હાઉસનો ધંધો શરૂ કર્યો હતો અને રિક્ષા ચાલક સસરા ભરત સિંહે ઓઢવમાં રોયલ સ્પા ખોલ્યું હતું. આ સ્પામાં ભરતસિંહે રાજેશ્વરી ઉર્ફે રિયાને નોકરી રાખી હતી. જેનાં કારણે વિશાલસિંહ અવારનવાર સ્પામાં આવતો જતો હોવાથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યારે વિષ્ણુબાએ ગેસ્ટ હાઉસનો ધંધો બંધ કરી અન્ય ધંધો કરવાનું કહેતા વિશાલસિંહ એકદમ ઉશ્કેરાઇ જઈ તેને માર મારી દહેજ ની માંગણી કરવા લાગ્યો હતો. અને સસરાએ પણ ધંધો કરવા પિયર માંથી દહેજ લઈ આવવા ત્રાસ આપ્યો હતો.

બાદમાં પ્રેમમાં અંધ બની વિશાલસિંહ તેની પ્રેમિકા રિયાને લઈને બિન્દાસ રીતે હરવા ફરવા લાગ્યો હતો. એક વખત તો તે તેની પ્રેમિકાને લઈ પોતાની મૂળ સાસરી બામરોળ પહોંચી ગયો હતો. જ્યાં સગા વહાલાને રિયાની ઓળખાણ પોતાની બહેન તરીકે આપી હતી. ત્યારે પ્રેમિકા રિયા ની વાતોમાં આવી ને પતિ છૂટાછેડા આપવા દબાણ કર્યા કરતો હતો. ગત તા ૧૯ મી જુનના રોજ વિશાલસિંહે અચાનક પોતાનો સામાન લઈને ઘરેથી નીકળી ગયો હતો. અને જતાં જતાં આજે છૂટાછેડા ના કાગળો માં સહી કરવાનું પણ કહેતો ગયો હતો.
આથી વિષ્ણુબા ગભરાઈ જઈ પોતાના પિયર રહેવા આવી ગઈ હતી. ત્યારે બીજા દિવસે વિશાલસિંહ ગાંધીનગર આવીને છૂટાછેડાના કાગળોમાં સહી કરવા દબાણ કરવા લાગ્યો હતો. જેથી સહી કરવાની નાં પડતાં તેણે વિષ્ણુબાને ત્રણ લાફા ઝીંકી જબરજસ્તી કરવા લાગ્યો હતો. અચાનક બૂમાબૂમ થતાં પરિવારના સભ્યો દોડી આવતા વિશાલસિંહ ૯ વર્ષના પુત્ર તેમજ વિષ્ણુબા ને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ ઘટના ના પગલે વિષ્ણુબા એ પોલીસ મથકમાં પતિ અને તેની પ્રેમિકા રિયા તેમજ સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/