કોરોના કાળમાં ગુજ.યુનિ.માં પરીક્ષાના ફોર્મ લેટ ભરનાર પાસેથી ૨૫૦૦ રૂપિયા લેટ ફી લેવાશે
કોરોનાના કેસ ઘટતા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગામી દિવસમાં ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવશે. ેંય્ સેમેસ્ટર ૪,૬ અને ઁય્ની સેમેસ્ટર ૪ની પરીક્ષાના ફોર્મ ભરવા માટે મુદત લંબાવવામાં આવી છે. ત્યારે કોરોનાની પરિસ્થિતિમાં પણ લેટ ફોર્મ ભરનાર પાસેથી યુનિવર્સિટી ૨૫૦૦ રૂપિયા લેટ ફી વસુલશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે ેંય્ સેમેસ્ટર ૪ અને ૬ તથા ઁય્ના સેમેસ્ટર ૪ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુન રાખવામાં આવી હતી જે હવે ૨૫૦૦ રૂપિયા લેટ ફી સાથે ૮ જુલાઈ સુધી સ્વીકારવામાં આવશે.
એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ સહિતના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવા લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે, કોલેજાેમાં અભ્યાસ કરતા ઘણાં વિદ્યાર્થીઓએ ૩૦થી વધુ વખત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં વેક્સિનેશનથી વંચિત છે, છતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ ઓફલાઇન પરીક્ષા આયોજિત કરવાનો ર્નિણય કર્યો છે. એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ તથા અન્ય વિદ્યાર્થી પ્રતિનિધિઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક વેક્સિનેસન કરીને યુજી, પીજીની ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવા માગ કરી છે, સાથે જ જાે ઓફલાઇન પરીક્ષાની ફરજ પડાશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ જગદીશ ભાવસારના માથે મોટી જવાબદારી છે. બંને હોદ્દેદારો યુનિવર્સિટી સાથે જાેડાયેલ વિદ્યાર્થીઓ, વાલીઓ, વિદ્યાર્થી સંગઠન કે અન્ય લોકોના પ્રશ્નને વાચા આપવા જવાબદાર છે. યુનિવર્સિટીમાં નવું સત્ર શરુ થશે અને હવે નવા એડમીશન પણ શરુ કરવામાં આવશે તથા ચાલુ વર્ષની અનેક રજૂઆત માટે રોજબરોજ અનેક લોકો યુનિવર્સિટી આવતા હોય છે. ત્યારે યુનિવર્સિટી પહોંચ્યા બાદ નીચેથી સિક્યુરીટી દ્વારા જ બંને હોદેદાર ના હોવાનું જણાવી દેવામાં આવે છે.
Recent Comments