વડોદરામાં સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી ભગવાન નગરચર્યાએ નીકળશે
કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે બપોરે ૨ઃ૩૦ વાગે નગર ચર્યાએ નીકળવાને બદલે સવારે ૯ કલાકે સ્ટેશન ખાતેથી પરંપરાગત માર્ગો ઉપર નગર ચર્યાએ નીકળશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સાથે રથયાત્રાને મંજૂરી આપવામાં આવતા રથયાત્રા બેથી અઢી કલાકમાં એટલે ૧૧ કલાકે સંપન્ન કરી દેવામાં આવશે. ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજના દિવસે ૪૦મી રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા ઈસ્કોન મંદિરના સંતો તેમજ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપ્યા બાદ આજે ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાનો સમય અને રૂટ નક્કી કરવા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં મંદિરના સંતો, રાજ્યના મંત્રી યોગેશ પટેલ, પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. મરેથોન ચર્ચા બાદ પરંપરાગત રીતે બપોરે અઢી વાગે સ્ટેશન ખાતેની નીકળતી રથયાત્રાના સમયમાં ફેરફાર કરીને સવારે ૯ કલાકે કાઢવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત રથયાત્રા ૧૧ વાગ્યા સુધીમાં પરંપરાગત રૂટ ઉપર ફરીને બગીખાના ખાતે સંપન્ન કરવાનો ર્નિણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.
Recent Comments