ગુજરાત યુનિવર્સિટીની મોટી સિધ્ધિ. એમ.ફાર્મ ઈન ફાયટોફાર્મસી એન્ડ ફાયટોમેડીસીન અને એમ.ટેક ઈન બાયો ટેક્નોલોજી કોર્સ શરૂ કરવા માન્યતા મળી

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે હરહંમેશ પહેલ કરીને ગુજરાતના શૈક્ષણિક જગતમાં વિવિધ ક્ષેત્રે સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ જીટીયુની કાર્યપ્રણાલીને બિરદાવીને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (પીસીઆઈ) અને ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા અનુક્રમે એમ.ફાર્મા ઈન ફાયટો ફાર્મસી એન્ડ ફાયટો મેડીસીન અને એમ. ટેક ઈન બાયો ટેક્નોલોજી કોર્સની માન્યતા આપવામાં આવી છે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝની માંગને આધારીત રોજગારી મેળવવા માટે આ પ્રકારના કોર્સીસ વિશેષ રીતે મદદરૂપ થશે. જે આર્ત્મનિભર ભારત અભિયાનને પણ વેગ પૂરો પાડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન. ખેરે જીએસપી ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણ અને જીસેટ ડાયરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલને નવા કોર્સની માન્યતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. જેને પીસીઆઈ અને એઆઈસીટીઈ દ્વારા આ બંન્ને કોર્સની માન્યતા આપવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓ ફાર્મસી ક્ષેત્રે સંકળાયેલ ફાયટો થેરાપીમાં આગળ વધી શકશે. બેચલર ઈન ફાર્મસી કરેલા વિદ્યાર્થી આ કોર્સ માટે અરજી કરી શકશે. વિશ્વ આખુ આયુર્વેદને અનુસરે છે ત્યારે રોજગારી સંદર્ભે જાેવા જઈએ તો આ કોર્સ થકી વિદ્યાર્થીઓ હર્બલ મેડીસીન બાબતે વિવિધ રીસર્ચ કરીને આયુર્વેદીક દવાઓ અને વિવિઘ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં યોગદાન પૂરૂં પાડીને આર્ત્મનિભર બની શકે છે.
Recent Comments