fbpx
ગુજરાત

આણંદમાં શિક્ષિકા પત્નીના આપઘાતના ૫ દિવસમાં પતિએ પણ છોડી દુનિયા

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પત્નીના આપઘાતના ૫ દિવસમાં પતિએ પણ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે પેટલાદ-સુણાવ રોડ પર આવેલી મસીહ સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય યુવકે રાતે આપઘાત કર્યો હતો. મૃતકની પત્નીએ પણ પાંચ દિવસ અગાઉ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની ઓળખ નિશાંત ઉર્ફે મોન્ટુ તરીકે થઈ છે, જેના વર્ષ ૨૦૧૫માં પ્રિયંકા સાથે લવ મેરેજ થયા હતા. નિશાંતની પત્ની એક શિક્ષિકા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ ૧૦ જુલાઈના રોજ પ્રિયંકાએ પેટલાદના ધોબીકુળ તળાવ પાસેના સેલ્ફી પોઈન્ટ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પતિ નિશાંત ખૂબ જ વ્યથિત થઈ ગયો હતો. પ્રિયંકાના આપઘાત બાદ તેનો પરિવાર તેમના બે બાળકોને પણ સાથે લઈ ગયા હતા. આ દરમિયાન પ્રિયંકાના આપઘાતના ૫ દિવસ પછી નિશાંતે પણ જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાપ્ત અહેવાલો અનુસાર પત્નીની પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ રાતે જમ્યા બાદ નિશાંત પહેલા માળે જતો રહ્યો હતો. સવારે દસ વાગ્યા સુધી તે નીચે ન આવતાં પરિવારને ચિંતા થતાં તપાસ કરી હતી. આ દરમિયાન નિશાંત ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/