વરાછા પોલીસ ચોકીના ચાર પોલીસ કર્મીઓએ વેપારીના પુત્રને માર મારતા વિવાદ
નાના વરાછા પોલીસ ચોકીમાં ચાર પોલીસ કર્મચારીઓ દ્વારા સ્ટીલના વેપારીના પુત્રને માર મારવામાં આવ્યો હોય આ મામલે કાપોદ્રા પોલીસ મથકે માર મારી ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. બન્યું એવું હતું કે, વેપારીનો પુત્ર સીમાડા નાકા ખાતેની દુકાન બંધ કરીને ઘરે જતો હતો ત્યારે નાના વરાછા પોલીસ ચોકી પાસે એક લારીવાળાને પોલીસે પકડ્યો હોય આ નાનો માણસ છે તેને શા માટે પકડ્યો છે તેમ કહેવા ઝતા પોલીસવાળાઓએ વેપારી પુત્રને ગાળો આપી ચોકીમાં લઇ જઇ માર માર્યો હતો. જાે કે પોલીસની આ બર્બરતાને લઈ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ હાથ ધરી છે.
સીમાડા નાકા ખાતે અંશ સ્ટીલના નામે દુકાન ચલાવતા શેલુ તોગુભા ગોહિલએ કાપોદ્રા પોલીસ મથકે કાપોદ્રા પોલીસ મથકના દિલીપ ડી.રાઠોડ, સંજય કણજારીયા તથા જય અને હરદિપસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર નરદિપસિંહ ગઈ તા.૧૬ જુલાઇના રોજ દુકાન બંધ કરીને પરત ઘરે જતો હતો ત્યારે તેની દુકાનની સામે એક લારીવાળાને પોલીસ વાળાઓએ નાના વરાછા પોલીસ ચોકી બોલાવ્યો હતો.
નરદિપસિંહ પોલીસ ચોકી પાસેથી પસાર થતો હતો ત્યારે લારીવાળાને જાેઇ જતા તેણે આ નાના માણસ છે જવા દો શું કામ માથાકુટ કરો છો એવું કહેવા જતા પોલીસ વાળાઓએ નરદિપસિંહને ગાળો આપી બાઇક ઉપરથી ખેંચીને ચોકીમાં લઈ ગયા હતા. જ્યાં ડંડાથી નરદિપસિંહને માર મારવામાં આવ્યો હતો.
નરદિપસિંહ આજીજી કરતા પોલીસવાળાઓએ તેના પિતાને ફોન કરવા દીધો હતો ત્યારબાદ પિતા શેલુ તોગુભા ગોહીલ પોલીસ ચોકી ઉપર પહોંચ્યા હતા અને પુત્રને દવાખાને લઇ જઇ સારવાર કરાવ્યા બાદ આ મામલે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments