સૂર્યા મરાઠી હત્યા કેસઃ પોલીસે બે દેશી બનાવટની પિસ્તલ સાથે બેને ઝડપી પાડ્યા
સુરતમાં માથાભારે સૂર્યા મરાઠીની હત્યામાં તેની જ ગેંગના કેટલાક સાગરીતોની સંડોવણી બાદ હવે સૂર્યાની હત્યામાં સામેલ સૂર્યાના સાગરીતો અને તેને વફાદાર રહેલાં સાગરીતો વચ્ચે તણાવ વધ્યો છે. સૂર્યાની હત્યામાં સંડોવાયેલા અને જામીન ઉપર છૂટેલાં તેના સાગરીતોએ સૂર્યાના વફાદાર રહેલા સાગરીતોને ટાર્ગેટ કરતાં તેણે બદલો લેવા મધ્યપ્રદેશથી બે પિસ્તલ મગાવી હતી.
પ્રથમવાર સુરત માટે એક સારા સમાચાર કહી શકાય એવાં સામે આવ્યા છે. કોઈ ગેંગ વોર થાય તે પહેલાં જ ઘાતક હત્યારો સાથે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. માથાભારે સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલની હત્યા બાદ સ્થાનિક વિસ્તારમાં વર્ચસ્વની લડાઈ અને ખાલી જગ્યા પુરવા માટે ગેંગવોરના એંધાણ દેખાઈ રહ્યા છે. વેડછા પાટિયા પાસેથી રૂપેશ ઉર્ફે બાલાજી કાશીની પાટીલ, સંદીપ ઉર્ફે ગાવઠી ગોપાલ કુમાવત અને તેમને પિસ્તોલ આપવા આવેલા અશોક સહાદુ બેલદાર અને હેમરાજ કાશીનાથ પાટીલને પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસને બે દેશી બનાવટની પિસ્તોલ અને ૧૪ કાર્ટીઝ ઉપરાંત રામપુરી ચપ્પુ અને પંચ જપ્ત કર્યા હતા.
રૂપેશ અને સંદીપ સૂર્યા મરાઠીના સાથીદારો હતા. પરંતુ દોઢ વર્ષ પહેલાં સૂર્યાની હત્યા થઇ ગઇ હતી. સૂર્યાની હત્યામાં તેના જ સાથીદારો અમૂલ ઝીણે, વિકાસ મગરે, મુન્ના દૂત અને હિતો સોલંકીની પણ સંડોવણી હતી. આ ટપોરીઓ થોડાક સમય પહેલાં જ લાજપોર જેલમાંથી છૂટતાં સૂર્યા મરાઠીના વફાદાર અને ગદ્દારો વચ્ચે તણાવ શરૂ થયો હતો. એક મહિના પહેલાં આ ચારેય રૂપેશને મારવા તેના ઘરે ગયા હતા. જેથી બદલો લેવા રૂપેશે અશોક બેલદાર અને હેમરાજ પાટીલ પાસેથી મધ્યપ્રદેશના બુરહાનપુરથી પિસ્તોલ મગાવી હતી.
જાે કે શહેરમાં ફાયરિંગના બનાવ બને તે પહેલાં જ પોલીસે આગોતરી કામગીરી કરીને ગુનાહિત બનાવો બનતા અટકાવ્યા હતા. મૃતક માથાભારે સૂર્યા મરાઠીના વફાદાર અને મૃતક માથાભારે હાર્દિક પટેલના વફાદારો વચ્ચે ગેંગવોર રમાઈ તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
Recent Comments