રાજયમાં શિક્ષકો દ્વારા સજ્જતા સર્વેક્ષણનો વિરોધ
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઈકાલે પ્રેસ-કોન્ફરન્સી યોજીને જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી, હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઇ વાત મરજિયાત છે, એનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે. વડોદરા જિલ્લામાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો દ્વારા પોતાની સજ્જતાની કસોટી આપવાનો વિરોધ કર્યો છે. જ્યારે જિલ્લા પંચાચત સંચાલિત શાળાના શિક્ષકોના ચાલતા બે સંઘો પૈકી એક સંઘ દ્વારા કસોટી આપવાનો વિરોધ કરવામાં આવ્યો છે.વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ૯૦૦ શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતાની પરિક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે. આજે શિક્ષકો રાવપુરા સ્થિત સમિતીની સ્કૂલ ખાતે એકઠા થયા હતા. અને શિક્ષક સજ્જતાની પરિક્ષાનો બહિષ્કાર કર્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા અંગે પરિક્ષા લઇને શિક્ષકોનું અપમાન કરી રહી છે. શિક્ષકોને પોતાની સજ્જતાની પરિક્ષા આપવાની જરૂર નથી.તો બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતીના ૯૫૪ શિક્ષકો દ્વારા પરિક્ષા આપવા માટે તૈયારી બતાવી છે. તંત્ર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરિક્ષા માટે શહેરમાં ૧૮ કેન્દ્રોમાં લેવામાં આવશે. ૧૨ સ્કૂલોના ૫૩ શિક્ષકો એક કેન્દ્રમાં પરિક્ષા આપશે. સુરત શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા મામલે આજે સુરત પાલિકા સંચાલિત શાળાના શિક્ષકોએ નગર પ્રાથમિક શાળાઓ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાં અન્ય શહેરોમાં શિક્ષક સંઘ પરીક્ષા આપે છે,પરંતુ સુરત શહેરમાં બહિષ્કાર કરી તમામ શિક્ષકો લડતમાં જાેડાયા છે.
લગભગ ૪૦૦૦ શિક્ષકો પરીક્ષાનો બહિષ્કાર કરશે એવું જણાવ્યું છે. સુરતમાં ૪૪ સેન્ટરો પરીક્ષા માટે તૈયાર રાખવામાં આવ્યા છે. જાેકે હાલ તમામ સેન્ટરો ખાલીખમ રહેશે તેવી શિક્ષક સંઘે ચીમકી આપી છે. આ અંગે પટેલ શિલ્પા બેન શંકર ભાઈ (શિક્ષક) એ જણાવ્યું હતું કે ૨૨ વર્ષથી પાલિકા સંચાલિત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાઉ છું, જાે ગ્રેડ-પે બાબતે ન્યાય નહિ મળે તો તમામ પરીક્ષાઓનો બહિષ્કાર કરીશું, બીજા જિલ્લાઓ પ્રમાણે ગ્રેડ-પે મળવો જાેઈએ, પાલિકાના ૪૦૦૦ શિક્ષકો આ બહિષ્કાર માં જાેડાયા છે. અમે તમામ પરીક્ષાઓ આપી ફરજ બજાવી રહ્યા છે એટલે એમને ન્યાય મળવો જાેઈએ. ગુજરાતમાં આજથી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શરૂ થઈ રહ્યું છે. બીજી તરફ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનારા શિક્ષકોને જ પોતાની સજ્જતાની પરીક્ષા નથી આપવી. પ્રાથમિક શિક્ષકો સંઘના ૫ ટકા લોકો જ આજે પરીક્ષા આપશે. આ પરીક્ષાના વિરોધમાં સોશિયલ મીડિયામાં પણ શિક્ષકોએ કેમ્પેન શરૂ કર્યું છે. શિક્ષકોએ આજના દિવસને કાળો દિવસ તરીકે ગણાવ્યો છે. આજે બપોરે ૨થી ૪ દરમિયાન ૩૨૪૧ બિલ્ડિંગમાં રાજ્યમાં કુલ ૧ લાખ ૮૩ હજાર ૧૪૪ શિક્ષકનું સર્વેક્ષણ યોજાશે. અમદાવાદમાં ૮૭ સેન્ટર પર આ સર્વેક્ષણ યોજવામાં આવશે. શિક્ષક સજજતા સર્વેક્ષણની પરીક્ષા યોજાનાર છે. ત્યારે અમદાવાદના કેન્દ્રો પર શિક્ષક સજ્જતા સર્વેક્ષણની તાલિમ માટે જ શિક્ષકો આવ્યા નથી. અમદાવાદમા જાેધપુર અને વસ્ત્રાપુર કેન્દ્ર ખાલીખમ, બહુચરાજી, વડોદરા સહિત અનેક કેન્દ્રોમા શિક્ષકોએ બહિષ્કાર કર્યો. બપોરે બે વાગે પરિક્ષા શરૂ થાય એ પહેલા શિક્ષકોને ભેગા કરવા આણંદ સહિત ઇજીજીની ભગિની સંસ્થાના હોદ્દેદારોને શિક્ષણાધિકારીએ નોટિસ આપી છે.
બીજી તરફ શહેરોના શિક્ષકોને આજની પરીક્ષામા બેસાડવા રૂ.૪૨૦૦નો ગ્રેડ પે આપવા શિક્ષણ વિભાગે બેઠક બોલાવી છે. અમદાવાદમાં ચાંદખેડા પગાર કેન્દ્ર શાળા પર સર્વેક્ષણ માટે કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. ૨ વાગ્યાની પરીક્ષા છે પરંતુ હજુ સુધી કોઈ શિક્ષક પરીક્ષા આપવા માટે આવ્યા નથી. સ્કૂલમાં ૩૭ શિક્ષકોના સીટ નંબર અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ પરીક્ષાના સમય નજીક હોવા છતાં કોઈ શિક્ષક આવ્યા નથી.પરીક્ષા વિભાગના કર્મચારીઓ સિલ બંધ પેપર લઇને સ્કૂલ પર પહોંચ્યા હતા. પરંતુ શિક્ષક ના હોવાથી ઉપરથી સૂચના આવે તેની રાહ જાેઈ રહ્યા છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે આણંદના શિક્ષકે સોશિયલ મીડિયામાં ટીકા કરતાં આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટીકા કરનાર શિક્ષકને કારણદર્શક નોટીસ મોકલી છે. જાે ટીકા કરનાર શિક્ષક નોટીસનો જવાબ નહીં આપે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ નોટીસમાં જણાવવામાં આવ્યું છે. નોટીસ બાબતે ખુલાસો કરવા માટે શિક્ષકને શિક્ષણાધિકારી કચેરીમાં જવા પણ કહેવામાં આવ્યું છે.
Recent Comments