fbpx
ગુજરાત

રાજયમાં ૧૭ કેસ કોરોનાના નવા નોંધાયા

કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના ૩૦ હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના ૩૦ હજાર ૧૯૬ કેસ નોંધાયા છે. જ્યારે ૧૮૧ લોકોનાં મોત થયા છે. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના ૭૦ ટકાથી પણ વધુ છે. દેશમાં કોરોનાના ૪૩ હજાર ૪૦૧ કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં ૩૩૯ લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી ૪ લાખ ૪૧ હજાર ૭૮૨ લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ ૩.૮૭ લાખથી વધુ સક્રિય કેસ છે. નોંધનીય છેકે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાનો દર્શાવાઇ રહી છે.

ત્યારે હાલની કોરોનાની સ્થિતિને પગલે તહેવારો સહિતના મેળાવડાઓને આંશિક છુટછાટ આપવામાં આવી રહી છે.રાજ્યમાં કોરોનાનો કેર સતત ઘટી રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૧૭ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં ૬-૬ કેસ નોંધાયા. તો વડોદરામાં ૪ અને વલસાડમાં ૧ કેસ નોંધાયો. રાજ્યના કુલ ૩૦ જિલ્લા અને ૫ મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૧૫૧ પર પહોંચી છે. જ્યારે વેન્ટિલેટર પર હવે ૬ દર્દીઓ છે. રસીકરણની વાત કરીએ તો, પાછલા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫ લાખ ૩૨ હજાર લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૬૦ હજાર ૮૭૯ લોકોનું રસીકરણ કરાયું. જ્યારે અમદાવાદમાં ૫૫ હજાર ૬૩૦ લોકોએ રસી મુકાવી. આ તરફ વડોદરામાં ૨૨ હજાર ૪૪૭ અને રાજકોટમાં ૨૫ હજાર ૫૪૨ લોકોએ રસીકરણ કરાવ્યું. રાજ્યમાં કુલ ૫ કરોડ ૭ લાખનું રસીકરણ પૂર્ણ થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/