મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું : ગુજરાતના રાજકારણમાં ભુકંપ
આજે એકાએક વિજય રૂપાણી ગુજરાત સરકારના ટોચના અન્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રાષ્ટ્રીય ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ રાજભવન પહોંચ્યા હતા અને આચાર્ય દેવવ્રતને રાજીનામું આપ્યું છે. ગુજરાતના રાજકરણમાં એકાએક નવા જુનીના એંધાણ છે. મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યું છે. રૂપાણીએ રાજભવન ખાતે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ભાજપ ટોચના મોવળી મંડળનો આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરૂં છું. મેં મુખ્યમંત્રી તરીકે તમામ દાયિત્વ નિભાવ્યા છે. મારા કાર્યકાળમાં ગુજરાતને વિકાસના નવા પંથે આગળ વધાર્યું હતુ. પૂર્વ મુખ્યમંત્રીએ રૂપાણીએ કહ્યું કે આ રાજીનામું મારી રાજીખુશીથી આપ્યું છે. મારી પાસે આ રાજીનામું માંગવામાં નથી આવ્યું. મારા અને સંગઠન વચ્ચે કોઈ ટકરાવ નથી. હું ભાજપનો જ માણસ છું અને કાર્યકર્તા તરીકે આગળ કામ વધારીશ.
રૂપાણીએ પ્રેસ વાર્તા દરમિયાન ટકોર કરતા કહ્યું કે ગુજરાતમાં સરકાર રૂપાણી કે કોઈ અન્ય નથી ચલાવતું. દરેક ચૂંટણી અને કાર્ય નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ જ લડાઈ છે. સરકાર રૂપાણી કે કોઈ અન્યની નથી મોદીના નેતૃત્વ હેઠળ જ બધું ચાલી રહ્યું છે. દેશ તો મોદીનો જ છે, તેમ રૂપાણીએ ઉમેર્યું હતુ. જાેકે એકાએક રાજીનામાનું કારણ આપવાનું રૂપાણી સહિતના ટોચના નેતાઓ ટાળ્યું હતુ. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે હું સીએમ પદનો દાવેદાર નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ ર્નિણય વિચારવિમર્શથી લેવામાં આવ્યો છે. કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે આગામી રણનીતિ એકાદ દિવસમાં નક્કી થશે. આવતીકાલ સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ થશે. આજે મોડી સાંજે કે કાલે સવારે ધારાસભ્યોની બેઠક બોલાવીને નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરુવારે રાતે લગભગ ૮ વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમના બહેન ના ત્યાં ગયા હતા, ત્યારબાદ આજે સવારે રવાના થઈ ગયા હતા, સામાન્ય રીતે પરિવાર ના કામ માટે અમિત શાહ થોડા સમય માટે પણ અમદાવાદ વારંવાર આવતા હોય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું.તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જાેવા મળી હતી. કમલમ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક ચાલી રહી છે. જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે.
આનાપગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ૨૪ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે.
Recent Comments