ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના ૨ વર્ષમાં ૧૧૦૯ કિસ્સા પકડાયા
વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રીએ આ જવાબ આપતાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં ૧લી, સપ્ટેમ્બર-૨૦૧૯થી ૩૧મી, ઓગષ્ટ,૨૦૨૦ સુધીના એક વર્ષમાં ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારા ૯૩૫ વેપારીઓ અને ૧લી, સપ્ટેમ્બર-૨૦૨૦થી ૩૧મી, ઓગષ્ટ, ૨૦૨૧ સુધીના એક વર્ષમાં ૧૭૪ કિસ્સા પકડાયા હતા. જેમાં ૨૦૧૯-૨૦૨૦માં રૂ. ૧૫૮ કરોડ તથા ૨૦૨૦થી ૨૦૨૧ના વર્ષમાં ૩૪ કરોડની ખોટી રીતે લેવાયેલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ પકડાઈ હતી. જેમાંથી ૬૯૭ કેસમાં રૂ.૩૬ કરોડ વસૂલાત કરાઈ હતી. જ્યારે ૪૧૨ કેસમાં રૂ. ૧૫૫.૭૫ કરોડની વસૂલાત બાકી રહી હતીઅમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન જીએસટી હેઠલ ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના ૧૧૦૯ કિસ્સા નોંધાયા હતા. જેમાં કુલ રુપિયા ૧૯૨.૨૫ કરોડની રકમની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાઈ હતી. જેમાંથી ૬૯૭ કિસ્સામાં ૩૬.૦૫ કરોડ રુપિયાની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ૪૧૨ કિસ્સામાં ૧૫૫.૭૫ કરોડની વસૂલાત થઈ શકી ન હતી. જેમની પાસેથી વસૂલાત બાકી છે, તેવા વેપારીઓ સામે કાયદાકીય જાેગવાઈ મુજબ સમન્સ-નોટિસો પાઠવીને સરકાર સંતોષ માન્યો છે.
Recent Comments