fbpx
ગુજરાત

ગાંધીનગર આમ આદમી પાર્ટીના એકમાત્ર કોર્પોરેટરે રાજીનામાની ચીમકી આપી

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા વિકલ્પ તરીકે ઊભરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં દિલ્હી મોડલની વાત કરી સુરતની માફક પરિણામ લાવવાનો પ્રયાસો કરાયો હતો, પરંતુ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ફક્ત એક જ ઉમેદવારની જીત થઈ હતી. તે ઉમેદવાર પણ હવે નારાજ થતાં રાજીનામાની ચીમકી આપી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને ટેગ કરી ટ્‌વીટ કરનાર ગાંધીનગર મનપાના છછઁના એકમાત્ર કોર્પોરેટર તુષાર પરીખે દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાંધીનગર આપના શહેર સંગઠનમાં વિસંગતતા છે, જેને કારણે મારે પાર્ટી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને ટ્‌વીટ કરી જાણ કરવાની ફરજ પડી છેગાંધીનગર મનપાની ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખને સ્થાનિક કાર્યક્રમોમાં નજરઅંદાજ કરાતા હોઈ, પરીખ દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા ટિ્‌વટર પર બળાપો કાઢવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલને ટેગ કરી કરવામાં આવેલા ટ્‌વીટમાં ચીમકી ઉચ્ચારવામા આવી છે કે જાે સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેમનું માન-સન્માન જળવાશે નહીં તો તેઓ પાર્ટી છોડી દેશે. ગાંધીનગરમાં સ્થાનિક નેતાઓ દ્વારા નાના-મોટા ર્નિણયો કાર્યકરોને પૂછ્યા વિના જ મનસ્વી રીતે કરાતા હોવાની બુમરાણ ઊઠી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/