આવતીકાલે સુરતમાં જલારામ જ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
વીરપુર સ્થિત જલારામ બાપાના મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતમાં વસતા જલારામ ભકતો દ્વારા પણ સુરતમાં દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાની મહામારી દુર થાય તે માટે ભક્તો બાપાને પ્રાર્થના પણ કરશે‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના નાદ સાથે પોતાનું જીવન જીવીને પ્રેરણાના પથદર્શક બનનારા જલારામ બાપાની જન્મજયંતિની ઠેરઠેર ઉજવણી થવા જઈ રહી છે. કારતક સુદ સાતમને ગુરૂવારે જલારામ બાપાની જન્મ જયંતિ છે, ત્યારે સુરતના તમામ જલારામ મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના મંદિરોમાં દર્શન, છપ્પન ભોગ, મહા આરતી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રસાદ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને મંદિરોને પણ સજાવવામાં આવ્યાં છે.
પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની કારતક સુદ સાતમ એટલે કે, ૧૧ નવેમ્બરના દિવસે ૨૨૨મી જન્મ જયંતિ છે. સુરતમાં દર વર્ષે જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે સુરતમાં ભવ્ય શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો લોકો જાેડાય છે. આ વર્ષે પણ સુરતમાં જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. સુરતમાં જલારામ મંદિરોમાં વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. લસકાણા સ્થિત જલારામ બાપાના મંદિરમાં છપ્પન ભોગ, અન્નકૂટ, મહા પ્રસાદ, મહા આરતી, અને સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર તરીકે પૂનમ ગોંડલીયા, બ્રીજ રાજ ગઢવી અને પલ્લવી પટેલ હાજર રહેશે. આ ઉપરાંત બાપાની જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે ૨૪ કલાક મંદિર ભક્તોના દર્શનાથે ખુલ્લું રહેશે તેમ લાસાકાણા જલારામ મંદિરના ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જાણાવ્યું હતું.
Recent Comments