સુરત ના અમરોલી સોમનાથ મહાદેવ મંદિરે શનિદેવ મુતિઁ પ્રાણપ્રતિષ્ઠા એવમ બજરંગદાસબાપા ની મઢુંલી અનાવરણ વિધિ યોજાય
સુરત અમરોલી સોમનાથ મહાદેવ મંદિરે શનિદેવ મુતિઁ પ્રાણપ્રતિષ્ઠા તેમજ બજરંગદાસબાપા ની મઢુંલી અનાવરણ વિધિ યોજાયસુરત અમરોલી સાયણ રોડ પર રિલાયન્સનગરમા આવેલ સોમનાથ મહાદેવ મંદિરે તા.૪ ડિસેમ્બર અમાસ શનિવારે શનિદેવ મુતિઁ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ તેમજ બજરંગદાસબાપાના મઢુલી મા ફોટાની અનાવરણ વિધિ કાયઁક્રમ નુ આયોજન મહંત જયંતિગીરીબાપુ (સાવરકુંડલા વાળા),મનીષગીરી દ્વારા કરવામાં આવેલ આ તકે હીરાભાઇ દેસાઇ(મહામંત્રી અમરોલી ભાજપ), સુરત દેવમંદિરોના સંતો,મહંતો, સન્યાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેઓનુ મહંત જયંતિગીરીબાપુ તેમજ તેમજ તેમના સેવક સમુદાય દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવેલ, સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે ભાવેશભાઇ કંસારા(ચામુંડા હાર્ડવેર-ભીકડા),પ્રમુખ દીલુભાઇ વાળા (લાલાવદર),ઘનશ્યામભાઇ કાકડીયા (પાટણા),લાભુભાઇ મેર(ખાંભડા),જીણાભગત બોરડા,અંકુરભાઇ,કમલેશભાઇ સહિતના સેવક સમુદાય તેમજ પ્રમુખ મંજુબેન સહિત મહિલા મંડળની બહેનોએ ખુબ જ સારી એવી સેવા આપેલ હતી
Recent Comments