પાટણના ટાંકવાસણા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી જ નથી
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંકવાસણા ગામ ફક્ત ૭૦૦થી ૮૦૦ લોકોની વસ્તી ધરાવતું અને ૫૦૬ મતદારો ધરાવતું ગામ છે. આ ખોબા જેવડું ગામ તેની ચૂંટણી ન યોજવાની પરંપરા થકી સમગ્ર પાટણ જિલ્લામાં આદર્શ અને સમરસ ગામ તરીકે ઓળખાય છે. દેશમાં પંચાયતી રાજના અમલ પછી આ ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. ગામમાં ઠાકોર, રબારી અને પટણી સમાજ વસે છે અને આ નાનકડા ગામમાં ભાઈચારો અને એકતા થકી ગામની પસંદગીનો ઉમેદવાર ચૂંટી ગામમાં સમરસતા જાળવી રખાઈ છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના દરેક સમાજના યુવાનો-વડિલોએ એકજૂથ થઈને ગામનો વિકાસ થાય તેમજ ભાઈચારાની ભાવના બની રહે તે માટે આ વખતે પણ ગ્રામપંચાયતને સમરસ બનાવી છે. સમરસ થયેલી ગ્રામપંચાયતના નવનિયુક્ત સરપંચ ભરતજી હાલસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે, અગાઉના સરપંચોએ ગામનો વિકાસ કર્યો છે. અમારા સમયગાળા દરમિયાન સમગ્ર ગામમાં શુદ્ધ પાણી મળી રહે તે માટે અમે પ્રયત્ન કરીશું. તેમજ ગામના યુવાનો શૈક્ષણિક રીતે સક્ષમ બને તે માટે આગળ આવીશું.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંકવાસણા ગામ જિલ્લાનું એવું ગામ છે કે જ્યાં આઝાદી પછી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. આ ઉજ્જવળ પરંપરા ચાલુ વર્ષે પણ ગ્રામજનો દ્વારા ચાલુ રાખવામાં આવી છે અને ગ્રેજ્યુએટ યુવા ઉમેદવારને સરપંચ તરીકે સ્વીકારી સમરસતાની પરંપરા જાળવી રખાઈ છે.ગામની સુવિધાઓની વાત કરીએ તો ગામમાં એકથી આઠ ધોરણ સુધીની પ્રાથમિક શાળા, આંગણવાડી અને જાહેર શૌચાલય તેમજ ઘેર-ઘેર શૌચાલયની સુવિધા જાેવા મળે છે. ગામમાં સરકારની આવાસ યોજનાનો અમલ અને પેવર બ્લોકનું કામ જાેઈ શકાય છે. જાે કે આરોગ્ય સેવાઓ માટે ૩ કિમી દૂર અઘાર ગામ જવું પડે છે. પરંતુ કોરોના રસીકરણ મામલે બંને ડોઝમાં ગામે ૯૭થી ૯૮ ટકા કામગીરી કરી ગામને સુરક્ષિત કર્યું છે. ગામમાં હાલમાં જ ગ્રેજ્યુએટ યુવા ઉમેદવારને સરપંચ તરીકે સ્વીકારી સમરસતાની પરંપરા જાળવી રખાઈ હતી. ચૂંટાયેલા સરપંચ અને સભ્યોની યાદી નીચે મુજબ છેપૂર્વ સરપંચ ઝવેરજી ઠાકોરે જણાવ્યું હતું કે ગામમાં ઠાકોર, દેસાઈ અને પટ્ટણી સમાજના લોકો વસવાટ કરે છે. ૫૦૬ મતદારો ધરાવતું અને અંદાજીત ૮૦૦ની વસ્તી ધરાવતું આ નાનકડું ગામ કાયમ માટે સંપીલુ ગામ કહેવાય છે. આ ગામમાં મોટાભાગે પોલિસ ફરિયાદ થતી નથી. ગામના આગેવાનો સમાધાન કરાવી દે છે. તેમણે જણાવ્યું હતું કે મને ૭૦-૭૨ વર્ષ થયા પણ મેં આ ગામમાં ચૂંટણી જાેઈ નથી. નાની-મોટા ઝઘડાઓનું ગામના આગેવાનો સમાધાન કરાવે છે ગામના અગ્રણી ચમનજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગામમાં સંપ અને એકતા જળવાઈ રહે તે માટે અમારા વડવાઓના સમયથી ગામમાં ચૂંટણી પહેલા સમસ્ત ગ્રામજનો ભેગા મળી સરપંચની નિમણુંક કરીએ છીએ. અમારા ગામમાં ભાઈચારો કાયમથી જળવાઈ રહે છે. નાની-મોટી માથાકૂટોનું ગામના આગેવાનો જ સમાધાન કરાવે છે.
Recent Comments