પાલીતાણાના શેત્રુંજી ડેમ ખાતે એમ. એમ. કન્યા વિદ્યાલય પાલીતાણા દ્વારા એક ખાસ શિબિરનો પ્રારંભ
પાલીતાણાના શેત્રુંજી ડેમ ખાતે એમ. એમ. કન્યા વિદ્યાલય પાલીતાણા દ્વારા એક ખાસ શિબિરનો પ્રારંભ થયો છે. જેમાં ધોરણ 11 અને 12ની 50 સ્વયંસેવક બહેનો જોડાઈ છે. જીવન શિક્ષણ ના ઉમદા પાઠ ભણાવવાની સાથે અહીં શ્રમદાન પણ થયું હતું. જેમાં જૈન પેઢી તથા પ્રાથમિક શાળા તેમજ આજુબાજુના ગામ સંકુલની સફાઈમાં બેહેનોએ યોગદાન આપ્યું હતું. ઉપરાંત રમત ગમત અને ગીત-સંગીત સ્પર્ધાઓ પણ યોજાય છે. શિબિરનું સમાપન તા. 27 ને સોમવારે થશે. પાલીતાણા કેળવણી મંડળના પ્રમુખ મયુરસિંહ સરવૈયા સહયોગી રહ્યા છે. પ્રોગ્રામ ઓફીસર છાયાબેન દવે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
Recent Comments