ત્રીજી લહેરમાં માત્ર ૭ થી ૧૦ દિવસમાં ૧૦ હજાર કેસ થઈ શકે છે : ડો. વિનોદ રાવ
વડોદરામાં કોરોનાના કેસો ગત વર્ષે એપ્રિલમાં તબ્બકા રીતે વધવાનું શરૂ થયું હતું અને મે મહિનામાં સ્થિતિ ગંભીર બની હતી.જેમાં, તા.૪ મેના રોજ એક જ દિવસમાં ૧૧ હજાર દર્દી હોસ્પિટલમાં દાખલ હતા. આ જ મહિનામાં તા.૭ મેના રોજ કોવિડ પોઝિટિવના ૯૮૯ દર્દી નોંધાયા હતા કે જે એક દિવસમાં સૌથી વધુ પોઝિટિવ હોવાનો આંક છે. વડોદરામાં ૧ એપ્રિલ,૨૦૨૧ના રોજ કુલ ૨૮૭૮૦, તા.૩ મે ના રોજ ૪૬૭૧૨ અને તા.૪ મે ના રોજ ૪૮૫૮૬ કેસનો આંકડો નોંધાયો હતો.આમ,૧ મહિના અને ૩ દિવસમાં ૧૯૮૦૬ કેસનો ઉછાળો આવ્યો હતો.કોરોના સંક્રમણની ગતિ જે રીતે વધી રહી છે તે જાેતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ શકે છે તેવી દહેશત શિક્ષણ સચિવ અને કોરોના સામેની લડતમાં ફરી એક વખત વડોદરાની બાગડોર જેના હાથમાં છે તેવા ડો. વિનોદ રાવે વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બીજી લહેરમાં ૧૦ હજાર કેસ થતાં એકથી દોઢ મહિનો લાગતો હતો, સંભવિત ત્રીજી લહેરમાં આ આંક માત્ર ૭થી ૧૦ દિવસમાં થઇ જવાની શકયતા છે. જેને લઇને તૈયારીઓ આરંભી દેવાઇ છે.
ખાસ કરીને રોજના ૧૦૫ કેસથી વધીને એક દિવસમાં ૯૮૯ કેસ થવામાં ૫૦ દિવસ લાગ્યા હતા. કોરોનાના નવા સ્વરૂપ આવી રહ્યા છે અને કેસો પણ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ફરી વડોદરાની જવાબદારી પૂર્વ મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવને આપી છે અને તેમણે મ્યુ.કમિશનર,આરોગ્ય વિભાગ સહિતના મહત્વના વિભાગોના અધિકારીઓ સાથે વર્ચ્યુલ બેઠક પણ કરી હતી. કે,કોરોનાની અગાઉની લહેરોમાં કેસો પ્રમાણે તૈયારી કરાતી હતી પણ હવે સંભવિત લહેરમાં એકદમ ખરાબ સ્થિતિ માની લઈને જ તૈયારી કરાઈ છે. કારણકે સંક્રમણની ગતિ ખૂબ જ ઝડપથી વધશે તેવું હાલના તબક્કે મનાઇ રહ્યું છે.
ધીમી ગતિએ કેસોમાં વધારો થતો હતો અને દસ હજાર સુધી પહોંચવાનો એકથી દોઢ મહિનાનો સમય અગાઉ લાગતો હતો પરંતુ હવે આટલા જ કેસો સુધી પહોંચવામાં સાતથી દસ જ દિવસ લાગી શકે છે. બીજી વેવમાં જ્યારે ખૂબ ગંભીર સ્થિતિ હતી ત્યારે એક જ દિવસમાં ૧૧ હજાર બેડ ભરાયેલા હતા અને તે સમયે ૧૪,૦૦૦ બેડની વ્યવસ્થા કરાઈ હતી. નવી સ્થિતિને પહોંચી વળવા બે દિવસ અગાઉ જ શહેરની હોસ્પિટલ સંચાલકોને એલર્ટ મોડ પર મૂકી દેવાયા હતા અને તેની સૂચના અપાઈ હતી. કોરોનાની અગાઉની સુનામી એકથી દોઢ મહિનો લાગતો હતો પરંતુ આ વખતે ૭ થી ૧૦ દિવસનો સમય લાગશે તેવું હાલના તબક્કે મનાઇ રહ્યું છે.જાેકે હોસ્પિટલોમાં દાખલ કરવા પડે તેવી ગંભીર સ્થિતિ નહીં હોય પરંતુ તકેદારીરૂપે તમામ તૈયારીઓ હાથ પર લેવાઈ છે.
Recent Comments