રશીયા અને યુક્રેનના યુદ્ધની કચ્છના બે મુખ્ય બંદરોને માઠી અસર
રશીયાએ પોતાના પડોશી દેશ યુક્રેન પર હુમલો કરી દેતા સીધી અસર ભારતના સી રુટથી પણ સીધી રીતે થઈ રહેલા આયાત નિકાસ પર તેની અસર આગામી દિવસોમાં જોવા મળશે. કચ્છના કંડલા અને મુંદ્રા પોર્ટ્સ પર પણ યુક્રેનના ઉડૈસા પોર્ટથી આયાત નિકાસ થતી રહે છે , હવે જ્યારે કે ઉડેસા પોર્ટને ખાલી કરવામાં આવી રહ્યું છે . ભારતથી રશીયા , યુક્રેન અને અન્ય યુરેશીયાના દેશો સુધી સી રુટથી કાર્ગો મોકલવા સુએજ કેનાલ અને બ્લેક સીનો રુટ અખત્યાર કરવામાં આવે છે . બન્ને દેશો વચ્ચે ગત વર્ષે અઢીસો કરોડ ડોલર જેટલો ટ્રેડ છે ત્યારે કોરોનાથી માંડ ઉપર આવી રહેલી વૈશ્વીક વેપારને આ યુદ્ધથી વધુ નુકશાન પહોંચશે તેવું તજજ્ઞો જણાવી રહ્યા છે . કચ્છના મુંદ્રા અને કંડલામાં યુક્રેનથી મીનરલ્સ સાથે કૃષી સબંધિત સામગ્રી , પોલીમર ,પ્લાસ્ટીકની આયાત કરાય છે , જ્યારે કે દવાઓ , મશીનરી , ખાધ સામગ્રી , કેમીક્લ અને મોટા પ્રમાણમાં ચાની નિકાસ થાય છે . રશીયા અને યુક્રેનમાંજ ભારતમાં પેદા થતી કુલ ચામાંથી ૧૫% થી વધુ ચાનું ખરીદદાર હોવાનું જાણકાર વર્તુળોએ કહ્યું હતું . આ વ્યવસાય સાથે જોડાયેલા ઉધમી આશિષ જોશીએ જણાવ્યું કે જો આ યુદ્ધ વધુને વધુ ખેંચાતું રહ્યું તો શીપીંગ ઉધોગને ફરી એક વાર મોટો આંચકો લાગશે
Recent Comments