2022ની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં: સીઆર પાટીલ દરેક જિલ્લામાં એક દિવસ વિતાવી કાર્યકર્તાઓને સાંભળશે
2022ની ચૂંટણી પહેલા સીઆર પાટીલ તમામ જિલ્લામાં એક દિવસનો પ્રવાશ કરશે. કાર્યક્રમની સૂચના આ અંગેની દરેક જિલ્લાઓમાં આપવામાં આવશે. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં તમામ હોદેદ્દારો સાથે તેઓ ત્યા એક દિવસ રોકાઇને ચર્ચા કરશે. ખાસ કરીને માઇનસ બૂથ શોધી તેના પર રણનીતિ ઘડવામાં આવશે. સીઆર પાટીલના નેતૃત્વમાં આ રણનીતિ દૂર કરવામાં આવશે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ મહત્વનો સાબિત થશે.
આ કાર્યક્રમ જાહેર સભા નહી પરંતુ ચર્ચાઓ એ જગ્યાએ જઇને કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ પોતાની વાત આ પહેલા જઇને જણાવતા હતા પરંતુ પાટીલ દ્વારા સ્થાનિક પ્રશ્નોની સ્થાનિકોની વાતને સાંભળવામાં આવશે. ખાસ કરીને આગામી ચૂંટણીમાં જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે તે બેઠકો પર વધુ ભાર આપવામાં આવશે, જેથી આગામી સમયમાં ભાજપ પણ સત્તા પ્રાપ્ત કરી શકે.
ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ એક્શનમાં આવી ગઇ છે. કાર્યકર્તાઓ સાથે સીઆર પાટીલ સાથે રહેશે. શહેર, જિલ્લા, મંડળના કાર્યકર્તાઓ પાસેથી જિલ્લાનો ચિતાર સાંભળશે. એક જિલ્લામાં એકથી વધુ બેઠકો હોય છે ત્યા માઇનસ બૂથની રણનીતિ ઘડવામાં આવશે.
Recent Comments