ભગવંત માન અને અરવિંદ કેજરીવાલના રોડ શોને લઈને આપ નેતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું
2 એપ્રિલના રોજ દિલ્હી અને પંજાબના સીએમ ગુજરાત અમદવાદ આવી રહ્યા છે ત્યારે આ વાતને લઈને ઈસુદાન ગઢવીએ કહ્યું કે,
પંજાબમાં આમ આદમીને મોકો આપ્યાે છે અને જે રીતે અમે પ્લાન કર્યો હતો કે તેઓ તિરંગા યાત્રામાં જોડાય ત્યારે આજ સાંજ સુધીમાં અમારી 182 વિધાનસભા પર આજે તિરંગા યાત્રા પૂર્ણ થઈ રહી છે. આપ પાર્ટી એ ત્રણ સિદ્ધાતોથી ચાલે છે રાષ્ટ્રવાદ, ઈમાનદાર અને માનવતાવાદી પાર્ટી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 અને 3 તારીખના રોજ આવી રહ્યા છે.
ઈન્દ્રનિલ રાજ્યગુરુના આપ પાર્ટીમાં જોડાવવાના નિવેદનને લઈને કહ્યું કે, સારા નેતાઓ જોઈન થવા જોઈએ, તેઓ આવે તો આપ પાર્ટીમાં સારું છે. રાજકોટમાં શું વિકાસ કરી શકાય એ તેઓ કહી શકે છે. એક રોલ મોડલ અને વિકલ્પ છે.
ભાજપ અને કોંગ્રેસમાં જવાને લઈને સર્વે કરાવે છે. ભાજપના સર્વેમાં અેવું નિકળ્યું છે કે પેપર ફોડ પાર્ટી છે નરેન્દ્ર મોદીના નામ પર આવી રહ્યા છે પરંતુ મોંઘવારીએ માઝા મુકી છે. પંજાબમાં આપ પાર્ટી આવી છે. સીએમ ભગવંત માન એ ભ્રષ્ટાચાર વિરોધની હેલ્પલાઈન શરૂ કરી છે. બીજા જ દિવસે જ તેઓ સસ્પેન્ડ કરે છે.
Recent Comments