સુરત વરાછા માં વટેમાર્ગુ માટે પાણી નું પરબ કરતા યુવાનો રાહદારી ઓ માટે રાહત રૂપ
સુરત વરાછા તરસ્યા ને પાણી.ઉનાળાની કાળઝાળ ગરમીમાં અવિરત તરસ્યા માણસો ના કાળજાને ઠંડક વળે તે હેતુસર રસ્તા પર નાના મોટા કોઈપણ લોકો માટે જનસેવાના ભાવર્થે તરસ્યા ની તરસ છીપાવવા માટે સેવાભાવી ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા રાહુલભાઈ સોરઠીયા તથા મહેશભાઈ ભુવા અને સેવા મિત્રો દ્વારા એક પાણી ના પરબની વ્યવસ્થા ગોઠવી નાની એવી સેવાની પહેલ કરી…પાણી નું પરબ બનાવી રાહદારી વટેમાર્ગુ ગરીબ વર્ગના લોકો પાણીની બોટલ લઈ શકતા નથી. આવી ઘણી બધી પરિસ્થિતિ ઓને ધ્યાનમાં રાખીને સરસ મજાના દેસી ઠંડા માટલા રાખી પાણીના પરબ ની વ્યવસ્થા કરી છે.પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર દાન દિયે ધન ના ઘટે સહાય કરે રઘુવીર સેવા ને લાખો સલામ કરવા જેવી ગિષ્મ માં હિમાલય જેવો હેત વરસાવતી સેવા
Recent Comments