વિદ્યાર્થી નેતા યુવરાજની ધરપકડ કરવા મામલે આપ પાર્ટીએ આપ્યું આ નિવેદન
ગાંધીનગર પોલીસ દ્વારા ગઈ કાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગઈ કાલે પોલીસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, યુવરાજ સિંહ પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો આક્ષેપની સાથે આ વીડીયોના ફૂટેજ પણ મીડીયા સમક્ષ રજૂ કરાયા હતા જેમાં લક્ષ્મણસિંહ નામના કોન્સ્ટેબલ ઈજા થવાની શક્યતા કે ગાડીના ટાયર નીચે આવવાની શક્યતા હતી.
જેથી પોલીસે 307 સહીતની નોન બેલેબલ કલમો લગાવી છે. ત્યારે આ મામલે યુવરાજ કે જેઓ આપ પાર્ટી સાથે પણ જોડાયેલા છે ત્યારે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ મામલે સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, યુવાનોની જીંદગી બરબાદ કરવાનું સડયંત્ર આશિત વોરાએ કર્યું છે. તેના પર ગુનો ના નોંધાયો, અદાલતમાં કેસ ચલાવો, સાબિત થાય તો સજા કરો, આસિત વોરા પર કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી, શુું આશિત વોરા એ તેમનો કોઈ સગો છે. કેમ ગૌણ સેવાના પ્રશ્નપત્રો ફૂટી રહ્યા છે. જુઠા કેસો કરવાની મોડસ ઓપરેન્ડી છે. જે માણસ ભાજપ સામે અવાજ ઉઠાવે તેના પર આ રીતે કેસો કરે છે. એમ કહી સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા.
Recent Comments