પોરબંદર: પુરૂષોત્તમ રૂપાલાની મુલાકાત પહેલા જ રાતો રાત રસ્તાના ગાબડા પુરાયા- યુથ કોંગ્રેસ
પોરબંદર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં અનેક સમસ્યાઓની સાથે રસ્તાની પણ સમસ્યા જોવા મળે છે તેમ જણાવી કોંગ્રેસે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. યુથ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કેન્દ્રીય મંત્રી પસાર થવાના હતા એટલે જ્યુબેલી સર્કલ, બોખીરા રસ્તાના રસ્તાના ખાડા તંત્રએ પુર્યા છે.
પોરબંદર જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમારે જણાવ્યું હતુ કે , પોરબંદરમાં જુદા – જુદા અનેક સમસ્યાઓની સાથે રોડ – રસ્તાની પણ અનેક સમસ્યાઓ છે અને ઘણા બધા વિસ્તારોમાં મસમોટા ગાબડાઓ સહિત બિસ્માર માર્ગો આવેલા છે અને તેના સમારકામમાં ભાજપના સત્તાધીશો અને તેના ઈશારે નાચતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે . પરંતુ જયારે જયારે પોરબંદર શહેરમાં વીવીઆઈપીઓ પધારવાના હોય ત્યારે તેઓ જે રસ્તેથી પસાર થવાના હોય તેના પુરતું રાતો રાત રોડને સમથળ બનાવી દેવામાં આવે છે તેવા પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. સાથે જ વધુમાં કહ્યું કે સામાન્ય લોકો ભલે હેરાન થાય. વીઆઈપીઓને તકલીફ પડવી જોઈએ નહીં તેવી હાલના શાસકોની બેધારી નિતિ છે.
તાજેતરમાં માધવપુર ખાતે વીઆઈપીઓનો જમાવડો થયો હતો ત્યારે પોરબંદર એરપોર્ટ થી માધવપુર સુધીમાં જયાં જયાંથી વીઆઈપી મુખ્યમંત્રીઓ,રાષ્ટ્રપતિ સહિતનો કાફલો પસાર થવાનો હતો તે રોડ રાતો રાત સમથળ કરી દેવામાં આવ્યા હતા તો વળી હમણાં જ પોરબંદરમાં કેન્દ્રિય મંત્રી પુરૂષોતમ રૂપાલા યોગ કાર્યક્રમ માટે પોરબંદર આગમનને લઇને બોખીરાથી જેટી ઉપર જવાનું હોવાથી આ રોડને રાતોરાત તંત્ર દ્વારા સમથળ કરીને ગાબડા બુરી દેવામાં આવ્યા હતા . પોરબંદરના જયુબેલી સર્કલ તેમજ બોખીરા વિસ્તારમાં રોડ ઉપર મસમોટા ગાબડાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો હતો અને અનેક વખત રજુઆતો કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ કેન્દ્રિય મંત્રી પસાર થવાના હોવાથી આ રોડને સમથળ કરી નાખવામાં આવ્યો છે જેના ઉપરથી નકકી થાય છે કે , તંત્રને ખ્યાલ છે કે ત્યાં ખાડાઓ છે છતાંય સમસ્ય હલ નથી કરતા અને લોકો માટે અને નેતાઓ માટે અલગ – અલગ સુવિધાઓ આપવામાં આવી રહી છે . યુથ કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું.
Recent Comments