સુરતના ઓલપાડમાં ટીટોડીએ ખેતરમાં 6 ઈંડા મૂક્યાં,જાણો શું છે તેની જૂની માન્યતા.
સુરતના ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ 6 ઈંડા મુક્યા છે.ઓલપાડના અસનાદ ગામે રહેતા નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા 6 મુક્યા છે.એક જૂની માન્યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ પડે છે,4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે અને જો 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે.જોકે ટીટોડી દ્વારા 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ સર્જાયું છે.
– ટીટોડીના 6 ઈંડા મુકવા પર શુ થાય છે અસર?
ટોટોડી સામાન્ય રીતે ચાર ઈંડા મૂકતી હોય છે.આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે. આ મુજબ 6 ઈંડા પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 4 ના બદલે 6 મહિના સુધી ચોમાસું ચાલશે. એટલે કે આ સારા ચોમાસાના સંકેત છે.
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું પણ સામાન્ય રહેશે. તો આ સાથે ઉત્તર ભારતમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે.
Recent Comments