કોઈ માપવા માટે તો કોઈ પામવા માટે સાંભળે છે – મોરારી બાપુ
મોરારી બાપુએ તેમની રામકથામાં જણાવ્યું હતું કે, જગતજનની માં જાનકીની જન્મભૂમિ અને ભગવાન રામ અને જાનકીની પરિણયભૂમિ-જનકપુરથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે બાપુએ વિવિધ પ્રકારની જિજ્ઞાસાઓને સંવાદ સાથે ગૂંથીને કહ્યું કે એક ખૂબ નાનકડો ઉપનિષદ છે: સિતોપનિષદ. આમ તો સન્યાસ જગતમાં ૧૨ ઉપનિષદને માન્યતા અપાઇ છે.કોઈ ૧૧ ને જ માન્યતા આપે છે, કોઈ ૧૦૮ ઉપનિષદ પણ બતાવે છે.જેમાંના ઘણા પ્રાપ્ય છે ઘણા અપ્રાપ્ય. બાપુએ પૂછ્યું કે કથા શા માટે સાંભળવી જોઈએ? બે પ્રકારના શ્રોતાઓ હોય છે:બીજાઓની ભૂલ કાઢનારા અને પોતાની જ ભુલ કાઢી અને સાંભળનારા.કોઈ માપવા માટે તો કોઈ પામવા માટે સાંભળે છે. રામચરિતમાનસને ચાર પ્રકારે લેવું જોઈએ: દરસ,પરસ(સ્પર્શ),મજ્જન અને પાન. આપણે ગ્રંથિઓનું દર્શન કરીએ છીએ ગ્રંથનું ક્યાં કરીએ છીએ! કોઈ પણ ગ્રંથના દર્શન પછી સ્પર્શ કરવાનો ભાવ જાગે છે અને સ્પર્શ કરવાથી આંસુ આવે છે એટલે આપણે આપણી જ ગંગામાં સ્નાન કરીએ છીએ અને આપણા આંસુ કોઈ પીતું નથી પોતે જ પોતાના આંસુઓનું પાન કરવું પડશે.બાપુએ પૂછ્યું કે દર્શન મહત્વનું છે કે સુમિરન(સ્મરણ) મહત્વનું છે? દશરથને દર્શન ન થયા પણ સુમિરણ સતત ચાલુ રહ્યું,રાવણને દર્શન થયા પણ સુમિરણ ક્યારેય ન હતું. દર્શનથી વધારે સ્મરણમાં રુચિ રાખો. માનસનું જ્ઞાન ઓછું હશે તો ચાલશે ગાન ભરપૂર હોવું જોઈએ. આ તકે વિવિધ સાહિત્યકારોની રચનામાં ‘ફૂલછાબ’ના તંત્રી-પત્રકા કૌશિકભાઇ મહેતાની એક રચના વખતે બાપુએ કહ્યું કે ગદ્ય અને પદ્ય બંનેમાં આદરણીય કૌશિકભાઇ લખે છે અને એ રચનાનું પઠન બાપુએ કર્યું,સાથોસાથ દરેકને એ રચનામાં આવતો ‘જયસીયારામ’ શબ્દ સમગ્ર પંડાલમાં વારંવાર બોલાવાયો. લોગોં કે કહને પર આપ ને કિયા થા પ્યાર; ફિર બોલે જય સીયારામ! માતાને માંગા થા વરદાન,પિતાને દિયા વનવાસ; બિના બોલે વન મેં કિયા સહેવાસ જય સીયારામ! રાવન કો હરાયા આપને,બાદ મેં સીતાકો અશોકવાટિકામેં સબકો જય સીયારામ! બાપુ એ દરેકને વારંવાર સામૂહિક રીતે જય સીયારામ આ રચના વખતે બોલાવ્યું. બાપુએ કહ્યું કે દશરથ પાસે દસ રથ છે:મનોરથ-ચોથી અવસ્થા થવા છતાં પુત્ર નથી,પુત્ર પ્રાપ્તિનો મનોરથ.એ જ રીતે ધર્મરથ,કામરથ,રામરથ,દેવરથ,સ્વર્ગરથ,ભગીરથ, જીવનરથ,અભિરત-જે મંગળ વિચાર આવે તેનો શીઘ્ર અમલ કરે છે તે અભિરથ છે. બાપુએ કહ્યું કે સીતોપનિષદમાં એક શ્લોક છે: સા સર્વવેદમયી સર્વદેવમયી સર્વલોકમયી સર્વકીર્તિમયી સર્વધર્મમયી સર્વાધારકાર્યકારણમયી ભિન્નાવિભિન્નરૂપા ચેતના ચેતનાત્મિકા ગંધર્વસમા ભૂતેન્દ્રીયમતા પ્રાણરૂપેતિ વિજ્ઞાપતે. અહીં સા નો મતલબ માં જાનકી.કોણ છે માં જાનકી?સર્વવેદમયી છે.ત્રણ વેદ,ચોથો તો પાછળથી આવ્યો. જાનકી ઋગ્વેદી છે. ઋગ્વેદનો પ્રથમ મંત્ર અગ્નિનો છે અને જાનકી અગ્નિમાં સમાયેલી છે.ગૌરી મંદિરમાં જઇને માં ગાયન કરે છે આથી સામવેદી છે. સર્વદેવમયી છે.જગત ઉત્પન્ન કરે છે એટલે બ્રહ્મા છે, સ્થિતી કરે છે એટલે વિષ્ણુ છે અને સંહારકારિણિ એટલે મહેશ છે.સર્વલોકમયી છે કોઈપણ લોકમાં જાઓ માં જાનકી છે અને જ્યાં પણ જાઓ તેની કીર્તિ છે.સર્વધર્મમયી છે. બાપુએ કહ્યું કે સાધના ઉપાસના પદ્ધતિની વાત નહીં પણ મુખ્ય ત્રણ ધર્મ: સ્વધર્મ,પરધર્મ અને પરમધર્મ. આરાધના કરે છે છે એટલે સ્વધર્મી છે.વિવાહ કરીને સાસુ-સસરા,પતિ અને પરિવારની સેવા કરે છે તે રીતે પરધર્મી છે અને નારી ધર્મ પતિદેવ ન દુજા-એ રીતે પરમધર્મી પણ છે. જાનકી બધાનો આધાર છે. આવી જાનકીની વાટિકામાં પુષ્પા ચૂંટવા માટે રામ અને લક્ષ્મણ પ્રવેશ કરે છે અને એ વખતે પુષ્પ સાથે, વાટિકામાં રહેલા લોકો-રખેવાળો સાથે,માળીઓ સાથે વિવિધ પ્રકારનો સંવાદ કરે છે એ અદભુત સંવાદ સાથે આજની કથાને વિરામ અપાયો.
Recent Comments