સાયબર ક્રાઈમ વધતા જાગૃતિ અને નિવારણ” પર IPS દ્વારા વાર્તાલાપ યોજાશે.
સાયબર ક્રાઈમ વધતા જાગૃતિ અને નિવારણ” પર IPS દ્વારા વાર્તાલાપ યોજાશે. ૨૬ મે, ૨૦૨૨ના રોજ સાંજે ૬:૩૦થી ૭:૪૫ વાગ્યા સુધીમાં સ પ્રોગ્રામમાં ભાગ લઈ શકાશે. અમદાવાદ મેનેજમેન્ટ એએસોસિએશન એએમએ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. સાયબર ક્રાઇમની લગતા ફ્રોડ નિવારવા માટે અવેરનેસ ખૂબ જ જરૂરી છે તેમાં પણ ખાસ કરીને કેટલીક નાનાથી લઈ મોટી એમ તમામ બાબતોથી અવગત હોવું જરૂરી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. એએમએ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્રારા મેનેજમેન્ટના સિદ્ધાંતો અને પ્રેક્ટિસમાં વિચારો, જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. અત્યાધુનિક ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા “સાયબર ક્રાઈમ – જાગૃતિ અને નિવારણ” વિષય પર અમિત વસાવા IPS, નાયબ પોલીસ કમિશનર, સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ દ્રારા ૨૬ મે, ૨૦૨૨ના રોજ એએમએ ખાતે સાંજે 6:30થી 7:45 દરમિયાન વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત વસાવા પ્રમાણિત એથિકલ હેકર અને સાયબર સુરક્ષા ઉત્સાહી પણ છે. એએમએ, આપને એએમએ કેમ્પસ પર વાર્તાલાપ માટે હાર્દિક આમંત્રણ આપે છે.
Recent Comments