fbpx
ગુજરાત

જે નેતાને તમે કોંગ્રેસમાંથી લીધો છે તેમને ત્યાંજ ટીકિટ આપજો – જગદિશ ઠાકોર

જે નેતાને તમે કોંગ્રેસમાંથી લીધો છે તેમને  ત્યાંજ ટીકિટ આપજો તેમ જગદિશ ઠાકોરે આજે ખેડબ્રહ્માની મુલાકાત દરમિયાન કહ્યું હતું. આદિવાસી મત વિસ્તાર ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસની બેઠક યોજાઈ હતી.
પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે આગામી રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કહ્યું હતું કે, માનવતા, આદિવાસી અસ્મિતાની લડાઈ છે. દાહોદમાં આવીને આદિવાસી સત્યાગ્રહની શરૂઆત રાહુલ ગાંધીએ કરાવી હતી. તે સંદર્ભમાં ગઈ કાલે દાંતા આજે ખેડબ્રહ્મામાં મિટીંગ થઈ છે તો આવતી કાલે ભિલોડામાં મિટીંગ થશે.
બીજા ફેઝમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની મુલાકાતે રાહુલ ગાંધી આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના ચિન્હ ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય બીજેપીમાં પ્રવેશ કર્યો છે. ત્યારે રાજકિય તાકાતવાળા નેતાને તમે લીધો છે તેમને ફરીથી એ જ સિટ ઉપર ઉભા રાખજો અમે તેમને હરાવવાની ચેલેન્જ આપીએ છીએ. જેથી જેને કોંગ્રેસમાંથી તમે લીધો છે તેમને જ ટીકિટ આપજો. કેમ કે, પ્રજાએ તેમને સિમ્બોલ જોઈને ચૂંટ્યા હતા તેમ કોંગ્રેસ પક્ષ છોડીને બીજેપીમાં જનારા વિરુદ્ધ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે આ વાત કહી હતી. ખાસ કરીને બીજેપીમાં કોંગ્રેસ પક્ષ છોડીને ખેડબ્રહ્માથી અશ્વિન કોટવાલ ગયા છે ત્યારે તેમનું નામ લીધા વિના જગદિશ ઠાકોરે આ વાત કરી હતી. આ ઉપરાંત આ જ વિસ્તારની બેઠક પર અનિલ જોષીયારાના પૂત્રએ પણ બીજેપી જોઈન કર્યું છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/