ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, નવા સબ વેરિઅન્ટ બીએ.૨.૩૮ થી ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો
૧ મહિનામાં કોવિડ દર્દીઓના ૪૩૧ નમૂનાઓમાંથી ૨૨૩ એટલે કે ૫૨ ટકા નમુનામાં બીએ.૨.૩૮ સબ -વેરિઅન્ટ જાેવા મળ્યું
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)ના ડેટા અનુસાર, છેલ્લા એક મહિનામાં કોવિડ દર્દીઓના ૪૩૧ નમૂનાઓનાં સંપૂર્ણ જીનોમિક સિક્વન્સિંગમાં કુલ ૨૨૩ એટલે કે ૫૨ ટકા નમુનામાં બીએ.૨.૩૮ સબ -વેરિઅન્ટ હોવાનું જણાયું હતું. ગુજરાતમાં બીએ.૨.૩૮ વેરિઅન્ટનો કેસ સૌથી પહેલા મે મહિનામાં નોંધાયો હતો. જૂનમાં તેનાં કેસો વધ્યા હતા. આ વેરિઅન્ટ અત્યારે ભારત સહિત અનેક દેશોમાં પ્રસરી રહ્યો છે. છેલ્લા એક મહિનાના ડેટામાં તે ૩૪ ટકા હોવાનું જણાયું છે. નિષ્ણાંતોનાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં પણ બીએ.૨.૩૮નાં કેસો વધી રહ્યા છે. જેના કારણે કુલ દૈનિક કેસોમાં વધારો થયો છે. દિલ્હી અને કેરળમાં પણ તેનાં કેસો જાેવા મળ્યા છે. ગુજરાતમાં જી.બી.આર.સી. દ્વારા સબ-વેરિઅન્ટનાં કરાયેલા વિશ્લેષણમાં પણ ૭ નમૂનાઓમાં બીએ.૫ અને ત્રણમાં બી.એ.૫ જાેવા મળ્યો હતો. કેટલાક યુરોપિયન દેશોમાં કોવિડના કેસોમાં વધારો થવા પાછળ આ બંને સબ-વેરિઅન્ટને જવાબદાર ગણવામાં આવે છે.તેના કારણે દક્ષિણ આફ્રિકામાં પણ કેસોમાં વધારો થયો હતો. રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં ગુજરાતમાંથી ઓમિક્રોનના ૧૫ સબ-વેરિઅન્ટ મળી આવ્યા છે, જેમાંથી મોટા ભાગના બીએ.૨માંથી મ્યુટેટ થયા છે. જીસીએસ મેડિકલ કોલેજના પ્રોફેસર અને માઇક્રોબાયોલોજીના વડા ડો.ઉર્વેશ શાહે જણાવ્યું હતું કે બીએ.૨.૩૮માં તેના પેરેન્ટ વેરિઅન્ટ બીએ.૨ની તુલનામાં સ્પાઇક પ્રોટીન પર બે સહિત પાંચ મ્યુટેશન છે. તેમણે જણાવ્યું હતું કે આ મ્યુટેશન તેના મૂળ વેરિઅન્ટની સરખામણીમાં ખાસ અલગ નથી.પરંતુ તેનું રોગચાળામાં મહત્વ છે, વૈશ્વિક ડેટાબેઝ અનુસાર, ભારતમાં સબ-વેરિઅન્ટનું પ્રમાણ સૌથી વધુ હોય તેવું લાગે છે, ત્યારબાદ યુકેનો ક્રમ આવે છે. કેસોમાં વધારા છતાં લોકો બૂસ્ટર ડોઝ લેતા નથી.રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચેની ૪.૯૩ કરોડની વસ્તીમાંથી, ફક્ત ૧.૫ ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોમાં તેની ટકાવારી ૬૮ ટકા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ)ના પ્રમુખ ડો.કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, હર્ડ ઇમ્યુનિટીની અસર ત્રણથી ચાર મહિના સુધી અનુભવાય છે. તેથી બૂસ્ટર ડોઝ જરુરી છે, અને અમે નાગરિકોને તે લેવા અપીલ કરીએ છીએ. જ્યારે બંને ડોઝ ચોક્કસપણે ગંભીર ચેપ સામે રક્ષણ આપે છે પરંતું બૂસ્ટર એક વધારાનું રક્ષણ હોઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, કેસોમાં વધારો થતાં શહેરનાં કેટલાક ડોકટરોને ચેપ લાગ્યો છે. રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.મહર્ષિ દેસાઇએ જણાવ્યું હતું કે માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને હળવા તાવ સાથે સુસ્તી જેવા લક્ષણો લગભગ ઓમિક્રોન જેવા જ છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી. જાેકે એકંદરે હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા કેસો ઓછા છે. તમ છતાં ફરી સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે.ગુજરાતમાં પખવાડિયામાં કોવિડના કેસોમાં ચાર ગણો વધારો જાેવા મળ્યો છે. ૨૧ મેથી ૪ જૂન દરમિયાન ૫૨૯ કેસો હતા તે વધીને ૫ થી ૧૯ જૂન દરમિયાન ૨,૨૪૯ થયા છે. રાજ્યમાં રવિવારે પણ છેલ્લા ૧૧૪ દિવસમાં સૌથી વધુ ૨૪૪ કેસો નોંધાયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે કેસોમાં વધારો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ બીએ.૨.૩૮નાં કારણે હોઇ શકે છે.
Recent Comments