સુરતના ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ ૧૦ ઓગસ્ટે તિરંગા યાત્રા કાઢશે
તિરંગા યાત્રાનું આયોજન ખૂબ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે.સુરત ટેક્સટાઇલ માર્કેટથી યાત્રાની શરૂઆત થશે અને મિલેનિયમ માર્કેટ ખાતે તેનું સમાપન થશે. આ દ્રશ્યો સૌ કોઈને યાદ રહી જાય એ પ્રકારની યાત્રા હશે. આમ તો સુરત શહેરમાં લાખો ઘર અને સ્થળ એવા હશે કે જ્યાં તિરંગો લહેરાશે પરંતુ સુરતના ટેક્સટાઇલ વેપારીઓ આમાં ખૂબ જ ઉત્સાહ વધારે છે. આ યાત્રા ઐતિહાસિક યાત્રા પુરવાર થશે.તિરંગા યાત્રાને લઈને સુરત શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિશેષ કરીને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ તિરંગા યાત્રાને યાદગાર દિવસ બનાવવા માટે પૂરજાેરથી તૈયારી કરી રહ્યું છે. અલગ અલગ કાર્યક્રમો ટેક્સટાઇલ માર્કેટમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ૧૦ ઓગસ્ટના દિવસે સુરતના રીંગરોડ વિસ્તારના અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટ ઓના વેપારીઓ યાત્રામાં જાેડાવા માટેનો આહવાન કરવામાં આવ્યું છે દરેક માર્કેટના એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ સાથે મળીને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ સંખ્યામાં તિરંગા યાત્રામાં વેપારીઓ જાેડાઈ તેવી અપીલ કરવામાં આવી રહી
Recent Comments